ચૂંટણીપંચ પર માયાવતીનો મોટો આક્ષેપ,જાણો વધુ
પશ્ચિમ બંગાળમાં અમિત શાહના રોડ શો વખતે થયેલી હિંસા મુદ્દે BSP ના સુપ્રીમો માયાવતીએ આજે પ્રેસ કોન્ફરન્સ કરી હતી અને એમણે કહ્યું કે, એક દિવસ પહેલા ચૂંટણી પ્રચાર પર રોક લગાવવી એએકદમ ખોટુ છે. જો રોક લગાવવી જ હતી તો ગઇકાલથી જ લાગુ કરી દેવી જોઈતી હતી. આજે બંગાળમાં મોદીની 2 રેલી છે, તેથી નરેન્દ્રમોદી ની આ રેલીઓના કારણે રાત્રે 10 કલાકથી પ્રચાર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે ચૂંટણી પંચ દબાણમાં કામ કરી રહ્યું છે એવો આક્ષેપ કર્યો હતો.
પીએમ નરેન્દ્રમોદી, અમિત શાહ અને ભાજપના નેતાઓ મમતા બેનર્જીને આયોજનપૂર્વક નિશાન બનાવી રહ્યા છે. આ ખૂબ ખતરનાક અને અન્યાયપૂર્ણ બાબત છે. આ દેશના પીએમને શોભતું નથી તેમ માયાવતીએ આક્ષેપ કર્યો હતો.
ભાજપની આ નિષ્ફળ કોશિશ બંગાળના મુદ્દાને ગરમાવીને સરાકારની નિષ્ફળતા પરથી લોકોનું ધ્યાન હટાવવાનું જ કાવતરૂ છે. પરંતુ યુપીની જ જેમ બંગાળના લોકો પણ ભાજપને જવાબ આપશે. પીએમ નરેન્દ્રમોદીની સભા પછી ચૂંટણી પ્રચાર પ્રતિબંધ પરથી સ્પષ્ટ થાય છે કે આ ચૂંટણી Free અને Fair નથી. જે ખૂબ નિંદનીય અને શરમજનક છે આવો આક્ષેપ BSP સુપ્રીમો માયાવતીએ પ્રેસકોન્ફરન્સ દરમિયાન કર્યો હતો.
કોંગ્રેસના નેતા અહેમદ પટેલે પણ ચૂંટણી પંચના ફેંસલા પર સવાલ ઉઠાવ્યો હતો. એમણે ટવીત કરીને લખ્યું હતું કે, જો બંગાળમાં સ્થિતિ આટલી ખરાબ હોય તો ચૂંટણી પ્રચાર પર તાત્કાલિક પ્રતિબંધ લગાવી દેવો જોઈએ. ચૂંટણી પંચ કોની રાહ જોઈ રહ્યું છે. ગુરુવારે પ્રધાનમંત્રીની રેલી હોવાથી આમ કરવામાં આવી રહ્યું છે? એવો સવાલ ટવીટર પર કોંગ્રેસના નેતા અહમદ પટેલ દ્રારા કરવામાં આવ્યો હતો.