૧૦૯ કલાક મોત સામે લડનાર ૩ વર્ષના ફતેવીરસિંહે આખરે બોરવેલની બહાર દમ તોડ્યો.
ગઈકાલે પંજાબ માં એક દુખદ ઘટના ઘટી છે જેમાં એક નાનું બાળક બોરવેલમાં પડી ગયું હતું.અહી ઉલ્લેખનીય છે કે પંજાબના સંગરૂરમાં 125 ફૂટ ઊંડા બોરવેલમાં ૩ વર્ષનું બાળક ફતેસિંહ પડી ગયું હતું.બોરવેલમાં પડી ગયેલા 3 વર્ષના ફતેહવીર સિંહને બહાર કાઢવામાં આવ્યો હતો, પરંતુ તેણે દમ તોડ્યો છે.આ સમગ્ર ઘટનામાં ફતેહવીરને સવારે આશરે 5.12 વાગ્યે બોરવેલમાંથી કાઢવામાં આવ્યો હતો, ત્યારબાદ તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો હતો. પરંતુ ત્યાં તેણે દમ તોડ્યો હતો અને તે જિંદગીની જંગ હારી ગયો હતો.
આ સમગ્ર ઘટનાથી પંજાબ સરકાર હરકતમાં આવી છે.ફતેહવીરના નિધનથી દરેક વ્યક્તિ દુઃખની લાગણી અનુભવી રહી છે, પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિંદર સિંહે પણ આ અંગે દુઃખ વ્યક્ત કર્યું છે.અને આ ઘટના ને લઇ ને મુખ્યમંત્રીએ રાજ્યમાં તમામ બોરવેલની તપાસ કરવાનો પણ આદેશ આપી દીધો છે.
તમને જણાવી દઈએ કે જ્યારે તેને હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યો, ત્યારે બાળકના શરીર પર સોજા જણાઈ રહ્યા હતા. બાળકને બચાવવા માટે NDRF, પોલીસ દ્વારા છેલ્લાં 109 કલાક જેટલું લાંબુ રેસ્ક્યૂ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું. આ ૩ વર્ષના નાના બાળકનું નામ ફતેહવીર સિંહ હતું. ફતેહવીર સિંહ બોરવેલમાં ફસાયો હોવાની સૂચના મળ્યા બાદથી જ NDRFની ટીમે તેનુ બચાવ કાર્ય શરૂ કરી દીધું હતું. બાળકને આજે બોરવેલની સમાનાંતર ખોદવામાં આવેલી ટનલની મદદથી ફતેસિંહને બહાર કાઢવામાં આવ્યો છે. ફતેહવીરને બહાર કઢાતા જ તેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો અને તે સમયે પણ બાળકની હાલત ખુબ જ નાજુક હતી.
સમગ્ર રેસ્ક્યુ ટીમ દ્રારા બોરવેલની અંદર ઓક્સિજનની સપ્લાય વધારવામાં આવી હતી. આ ઉપરાંત બાળક પર નજર રાખવા માટે એક કેમેરો પણ લગાવવામાં આવ્યો હતો. બચાવ દળમાં NDRFના કુલ 26 સભ્યો હતા. ઘટનાસ્થળ પર 24 કલાક ડૉક્ટરોની ટીમ અને એમ્બ્યુલન્સ પણ હાજર હતા. ઘટનાના લગભગ 40 કલાક બાદ શનિવારે સવારે 5 વાગ્યે તેના શરીરમાં હચલચ દેખાઈ હતી.તમને જણાવી દઈએ કે બાળક 10 જુને 3 વર્ષનો થઈ ગયો હતો.
ફતેહવીર સિંહની માતા અને પરિવારના સભ્યોએ પોતાનું બાળક સહી સલામત બહાર આવી જાય એ માટે ખ્વાજા પીરની દરગાહ પર મન્નત માની હતી અને તેના સુરક્ષિત બહાર આવવાની દુવા માગી હતી. આસપાસના વિસ્તારોમાંથી હજારો લોકો અને પ્રશાસન પણ ફતેહવીરનો જીવ બચાવવા માટે પ્રયત્નો કરી રહ્યા હતા. ભીષણ ગરમીમાં પણ આ લોકો ત્યાં હાજર રહ્યા હતા.
પરંતુ આ સમગ્ર રેસ્ક્યુ ઓપરેશન અને લોકોની દુઆઓનો પનો ટૂંકો પડ્યો હોય એમ ફતેવીરસિંહે ૧૦૯ કલાક બાદ પોતાનો દમ તોડ્યો હતો.આ બાળકના દુખદ અવસાન બાદ સમગ્ર લોકોમાં દુખની લાગણી જોવા મળી હતી.પંજાબ સરકારે પણ આ સમગ્ર ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું તેના પરિવારમાં દુખના વાદળો છવાઈ ગયા હતા.