GujaratNorth Gujarat

પાટણમાં યુવતી પર કરવામાં આવેલ હુમલા પર અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન..

પાટણના રાધનપુરના શેરગઢ માં યુવતી પર વિધર્મી યુવક દ્વારા કરવામાં આવેલ હુમલાને કારણે સમગ્ર રાજ્યમાં વિરોધ કરવામાં આવ્યો છે. એવામાં આજે રાધનપુરને સજ્જડ બંધ રાખવામાં આવ્યું હતું. ધંધુકા બાદ રાધનપુરમાં મોટા પડઘા જોવા મળી રહ્યા છે. સતત આ મામલામાં વિરોધ દર્શાવવામાં આવી રહ્યો છે.

તેની સાથે રાધનપુર માં આ મામલમાં વિરોધ દર્શાવવા હજારોની સંખ્યામાં ચૌધરી, ભરવાડ અને ઠાકોર સમાજના લોકો આજે રાધનપુર માં ભેગા થયા હતા. એવામાં રાધનપુરમાં અલગ-અલગ સંગઠનો દ્વારા બંધના એલાનની જાહેરાત કરવામાં આવી છે. જ્યારે ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો રાધનપુરમાં પાડવામાં આવેલ બંધમાં ભેગા હત્યા હતા. હજારોની સંખ્યાને જોતા પોલીસ દ્વારા લાઠીચાર્જ પણ કરવામાં આવ્યો હતો. એવામાં યુવતીની વાત કરવામાં આવે તો તેને મહેસાણાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે રાખવામાં આવેલ છે.

જ્યારે આ મામલામાં ભાજપના નેતા અલ્પેશ ઠાકોર ઇજાગ્રસ્ત યુવતીની મુલાકાતે પહોંચ્યા હતા. તે દરમિયાન તેમના દ્વારા કહેવામાં આવ્યું હતું કે, એક દીકરી પર હુમલો કરવામાં આવેલ છે દીકરીને ઉપાડી જવાની ધમકી પણ આપવામાં આવેલ છે. આવી ઘટનાઓને રોકવી જરૂરી છે. આવા જે કોઈ પણ અસામાજિક તત્વો રહેલા છે તેના પર કડક કાર્યવાહી કરવી જરૂરી છે.

તેની સાથે આ મામલામાં વધુમાં તેમને જણાવ્યું છે કે, પાટણના રાધનપુરના શેરગઢ માં યુવતી પર હુમલાની ઘટનાને તેમના દ્વારા વખોડવામાં આવી છે. આવા લોકો સામે સખ્ત કાર્યવાહી થવી જરૂરી છે. તમામ સમાજો દીકરીના પડખે રહેલા છે. આવા લોકો સામે તલવાર ઉપાડવાની જરૂરિયાત પડશે તો હું તેના માટે પણ તૈયાર છું. આ લોકોને તેમની જ ભાષામાં જવાબ આપવામાં આવશે. જ્યારે આવા લોકોને કોઈડા ફટકારવા જોઈએ. જો આવી ઘટના બનશે તો હું રાજનીતિને બાજુમાં રાખીશ. કેમ કે મને નમાલી રાજનીતિ આવતી નથી.