healthIndia

સંશોધન: ભારતમાં કોરોનાની ત્રીજી લહેર આ જાન્યુઆરી મહિનામાં, અને માર્ચ મહિનામાં…

IT કાનપુરના પ્રોફેસર મનિન્દ્ર અગ્રવાલે કહ્યું છે કે કોરોના મહામારીની ત્રીજી લહેર એપ્રિલ સુધીમાં ખતમ થઈ જશે. જો કે તેમણે ચેતવણી આપી હતી કે ચૂંટણી દરમિયાન રેલીઓ કોરોના ચેપ માટે સુપર સ્પ્રેડર સાબિત થઈ શકે છે, કારણ કે આવા મેળાવડાઓમાં COVID માર્ગદર્શિકાનું પાલન કરવું સરળ નથી.

પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે જો મોટી સંખ્યામાં લોકો માર્ગદર્શિકાનું પાલન કર્યા વિના ચૂંટણી રેલીઓમાં પહોંચે છે, તો ચેપનું જોખમ ઘણી હદ સુધી વધી જાય છે. આ કિસ્સામાં સાવચેત રહેવાની જરૂર છે.જ્યાં રેલીઓ થઇ હોય તો સંક્રમણ સમય પહેલા ઝડપ પકડી શકે છે.પોતાના ગાણિતિક મોડલના આધારે રોગચાળાની આગાહી કરનાર પ્રોફેસર અગ્રવાલના જણાવ્યા અનુસાર ભારતમાં જાન્યુઆરીમાં ત્રીજી લહેર આવશે અને માર્ચમાં દરરોજ 1.8 લાખ કેસ આવી શકે છે.

તેમણે કહ્યું કે આ રાહતની વાત હશે કે 10માંથી 1ને જ હોસ્પિટલની જરૂર પડશે. માર્ચના મધ્ય સુધીમાં બે લાખ બેડની જરૂર પડશે.તેમણે વધુમાં કહ્યું કે આફ્રિકા અને ભારતમાં 80 ટકા વસ્તી 45 વર્ષથી ઓછી વયની છે. બંને દેશોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ 80 ટકા સુધી છે. બંને દેશોમાં ડેલ્ટા વેરિઅન્ટ્સ મ્યુટન્ટ્સને કારણે થયા છે. તેણે દાવો કર્યો હતો કે દક્ષિણ આફ્રિકાની જેમ ભારત પર તેની મોટી અસર થવાની શક્યતા નથી.