GujaratIndiaSurat

સુરતના વેપારી નડ્યો ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 6 લોકોના મોત થતા સર્જાયા હૃદય ધ્રુજી જાય તેવા દ્રશ્યો

રાજ્ય સહીત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે જે લોકોની બેદરકારીને કારણે હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં સતત વધારો નોંધાય રહ્યો છે ત્યારે આજે પણ વધુ એક રોડ અકસ્માતનો ગમખ્વાર અકસ્માત સામે આવ્યો છે. જો કે આ અકસ્માતને જાણીને તમારું પણ હૃદય રુદન કરવા લાગશે.

આ અકસ્માત સુરતના વેપારી તેના પરિવાર સાથે કારમાં અયોધ્યા-લખનૌ હાઈવે પરથી પસાર થઇ રહ્યા હતા ત્યારે તેમને આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો જેમાં એક જ પરિવારના 6 સભ્યોના મોત થઇ ગયા છે. આ ખતરનાક અકસ્માતને કારણે કારનો આખો ભૂક્કો બોલી ગયો હતો. જેમાં વેપારી ભાઈ, પત્ની અને બે બાળકો સાથે જઈ રહ્યા હતા. ત્યારે આ પરિવાર પર કાળ મોત આવી ગયું હતું.

આ અકસ્માતના બનાવની જાણ પોલીને કરવામાં આવતા પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને આ ઘટનાની તપાસ હાથ ધરી હતી. કારમાંથી મૃતદેહોને બહાર કાઢવા માટે બચાવ ટીમે ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ કાર ટ્રક સાથે અથડાતા કારનો ભૂક્કો બોલી ગયો હતો. આખી કારનો આગળનો ભાગનો ભૂક્કો બોલી ગયો હતો.

રસ્તાની વચ્ચોવચ્ચ એક સ્ટેશનરી ભરેલો ટ્રક પાર્ક કરવામાં આવ્યો હતો અને દરમિયાન આ પરિવાર સાથે કાર સ્પીડમાં આવીને તેની સાથે અથડાઈ ગઈ હતી. જેના આ કારણે કારમાં સવાર પરિવાર 6 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત થઈ ગયા હતા. આ અકસ્માતની ઘટના વહેલી સવારે 3 વાગ્યાની આસપાસ બની હોવાનું પોલીસના અધિકારીએ જણાવ્યું હતું.

આ અકસ્માતમાં અજય કુમાર યાદવ નામનો વ્યક્તિ કાર ચલાવી રહ્યો હતો, અજય કુમાર વર્મા સહિત આ અકસ્માતમાં અજય કુમારના ભાઈ રામ જન્મ, અજય કુમારના પત્ની સપના તથા તેમના બે દીકરા આર્યન અને યશના ઘટના સ્થળે જ મોત થયા હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. જેના કારણે આ રસ્તા પર એક જ પરિવારના 6 લોકોના મોત થતા સૌ કોઈને હચમચાવી દીધા છે.