GujaratSouth GujaratSurat

સુરતમાં યુવતીનું ગળું કાપી હત્યા કરવાનું સાચું કારણ આવ્યું સામે, આ કારણોસર યુવકે કરી યુવતીની હત્યા…

રાજ્યમાં સતત છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. એવામાં સુરતમાં ગઈ કાલે એવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં યુવક દ્વારા જાહેરમાં યુવતીને દર્દનાક મોત આપવામાં આવ્યું હતું. સુરતમાં યુવક દ્વારા યુવતીનું જાહેર ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી. જેમાં સુરતના કામરેજના પાસોદરા પાટિયા નજીક એક યુવક દ્વારા યુવતીનું જાહેરમાં ગળું કાપીને હત્યા કરવામાં આવી હતી.

તેની સાથે તેવું પણ સામે આવ્યું છે અનેક લોકો તે દરમિયાન ઉભા હતા પરંતુ તેમાંથી કોઈ તેને બચાવવાનો પ્રયત્ન કર્યો નહોતો.જ્યારે આ ઘટનામાં જાણકારી સામે આવી છે કે, આ યુવકનું નામ ફેનિલ ગોયાણી હતું તે 18 વર્ષનો હતો એન તે એકતરફી પ્રેમમાં ગાંડો થઈ ગયો હતો. ફેનિલે તેની સાથે અભ્યાસ કરનારી 21 વર્ષની યુવતીએ પ્રેમની ના પાડી તો તેને ગ્રીષ્મા વેંકરિયાનું ચપ્પુ વડે ગળું કાપી હત્યા કરી દીધી હતી.

ત્યાર બાદ ફેનીલે પોતાના હાથ અને પગમાં ચપ્પુના ઘા મારી ઝેરી દવા પી લીધી હતી. તેમ છતાં ફેનિલ સારવાર દરમિયાન હેઠળ રહેલો છે પરંતુ તેની હાલત ગંભીર હોવાનું જાણકારી સામે આવી છે. તેમાં પણ એક તરફી પ્રેમમાં કામરેજમાં આ ખૂની ખેલ ખેલાયો હતો. તેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે.

નોંધનીય છે કે, આ યુવક યુવતીનો છેલ્લા ઘણા દિવસોથી પીછો પણ કરી રહ્યો હતો. તે વાતની જાણ થતા યુવતીના મોટા બાપુજી તેને ઠપકો આપ્યો હતો. તેનું યુવકને માઠું લાગ્યું હતું. જેના લીધે તે ઉશ્કેરાઈ ગયો હતો. આ કારણોસર તે યુવતીના ઘરની બહાર પહોંચી ગયો હતો. તેના કારણે યુવતીના મોટા બાપુજીએ તેને ફરીથી ઠપકો આપ્યો તો યુવકે તેમના પર જ ચપ્પુથી હુમલો કરી દીધો હતો.

તે દરમિયાન યુવતી વચ્ચે તેમને બચાવવા વચ્ચે પડી તો તેને યુવતીનું જ સેંકડો લોકોની વચ્ચે ગળું કાપી હત્યા કરી નાખી હતી.ત્યાર બાદ હત્યારા ફેનીલે યુવતીની હત્યા કર્યા બાદ પોતાના હાથે તેમજ પગે ચપ્પુના ઘા મારી ઝેરી દવા પીને જીવન ટુંકાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમ છતાં સ્થળ પર પહોંચેલી કામરેજ પોલીસ પર પણ તેને હુમલો કર્યો તેમ છતાં યુવાનને તાત્કાલિક સારવાર માટે પોલીસ દ્વારા તેને સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લઇ જવામાં આવ્યો હતો.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે