આણંદની વિચિત્ર ઘટના, વરરાજા લગ્ન કરવા પહોંચ્યો પરંતુ ત્યાં તેની પ્રથમ પત્ની પહોચી જતા થયો હોબાળો…
આણંદથી એક વિચિત્ર ઘટના સામે આવી છે. જેમાં એક વરરાજાના લગ્ન પહેલા જ તેનો ભાંડો ફૂટી ગયો હોવાની ઘટના સામે આવી છે. તેમાં પણ જાણવા મળ્યું છે કે, વરરાજા મંડપમાં હજુ લગ્ન કરવા માટે પહોંચ્યો હતો અને ત્યાં જ તેની પ્રથમ પત્ની મંડપમાં આવી પહોંચતા ભારે વિવાદ થયો હતો.આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, આણંદના રહેવાસી પાર્થ પટેલ નામના યુવકના લગ્ન લેવામાં આવ્યા હતા.
તેના માટે એનઆરઆઈ યુવતી સ્પેનથી આવી પહોંચી હતી. પરંતુ અચાનક પાર્થની પ્રથમ પત્ની આવી જતા વરરાજાનો ભાંડો ફૂટી ગયો હતો. વરરાજાની પ્રથમ પત્ની અમીષા ચૌહાણ લગ્નના મંડપમાં પહોંચી ગઈ અને તેના પતિના બીજા લગ્નને લઈને વિરોધ કરવા લાગી હતી. ત્યાં પહોંચી તેના દ્વારા કહેવામાં આવ્યું કે, તેના લગ્ન પાર્થ પટેલ સાથે વર્ષ 2019 મા થઈ ગયા હતા. તે કોર્ટમાં લગ્ન કરીને 6 મહિના સુધી સાથે પણ રહ્યા હતા. ત્યાર બાદ તે પિયર ચાલી ગઈ હતી.
પરંતુ આ સમયગાળામાં પાર્થને સોશિયલ મીડિયા પર અન્ય યુવતી સાથે પ્રેમ થઈ જતા પાર્થે તેની પત્ની પાસેથી છૂટાછેડા માંગ્યા હતા. પરંતુ તેની પત્નીએ તેને છૂટાછેડા આપ્યા નહોતા. જેના લીધે લગ્નને લઈને વધુ વિવાદ ઉભો થયો હતો. ત્યાર બાદ બીજી યુવતી દ્વારા આ બાબતમાં પોલીસને બોલાવવામાં આવી હતી. યુવતી દ્વારા પોલીસને કહેવામાં આવ્યું હતું કે, અમે લગ્નમાં માટે ગયા ત્યારે તેને પિતા દ્વારા ડિવોર્સના પેપર પણ અમને બતાવવામાં આવ્યા હતા. પરંતુ આ જાણ નહોતી.
તેની સાથે આ ઘટનામાં જાણવા મળ્યું છે કે, લગ્નમાં આવેલ મહેબૂબ ખાનના નામના વ્યક્તિ દ્વારા લગ્નને રોકવા માટે પહેલી પત્ની બંદૂકથી અટકાવી હતી. ત્યાર બાદ આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં ગયો હતો. જ્યારે વરરાજા પોતાની ગાડીમાં બેસીને ભાગી ગયો હતો. જ્યારે પોલીસ દ્વારા આ બાબતમાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.