GujaratSouth GujaratSurat

સુરતના રાદડિયા પરિવારની અનોખી કંકોત્રી ચર્ચાનો વિષય બની, જાણો શું છે તેની વિશેષતાઓ….

ગુજરાતમાં હવે લગ્નની સિઝન શરૂઆત થવા જઈ રહી છે. લગ્નની સિઝન શરૂ થતા જ અગાઉ પરિવારના સભ્યો લગ્નની ખાસ તૈયારીઓ ચાલુ કરી નાખતા હોય છે. કંકોત્રી છપાવવાની લઇ ને તમામ એવી વ્યવસ્થાઓને લઈને આયોજન કરવા લાગે છે. સોશિયલ મીડિયા ના જમાનામાં હવે લોકો ડિજિટલ કંકોત્રી તરફ પણ વળ્યા છે.

એવામાં સુરતમાંથી રાદડિયા પરિવાર ની એક અનોખી કંકોત્રી સોશિયલ મીડિયા આગની જેમ વાયરલ થઈ રહી છે. કંકોત્રી ની શું છે વિશેષતાઓ છે આવો જાણીએ. જાણવા મળ્યું છે કે, સુરતમાં રહેનાર રાદડિયા પરિવારના દીકરા કાર્તિક રાદડિયા ના લગ્ન આગામી 1-2-2023 ના રોજ થવાના છે. લગ્ન પ્રસંગને યાદગાર બનાવવા પરિવારના લોકો ડિજિટલ કંકોત્રી બનાવે છે તે સામાન્ય રીતે એક અથવા બે પન્નાની જ હોય છે.

પરંતુ રાદડિયા પરિવારના સભ્યો દ્વારા કંકોત્રી ને ચાર પાના માં છપાવવામાં આવી છે. કાર્તિક રાદડિયા ના શુભ લગ્ન પ્રસંગે પરિવારના સભ્યો દ્વારા કંકોત્રીમાં ગુજરાતમાં ચાલી રહેલી તમામ યોજનાઓની જાણકારી ઉમેરવામાં આવી છે. જેમાં વહાલી દીકરી યોજના, કુંવરબાઈનું મામેરું યોજના, વિધવા પુનઃલગ્ન યોજના, વૃદ્ધો સહાય યોજના આવી અનેક એવી યોજનાઓની જાણકારી આપવામાં આવી છે.

આ સિવાય કંકોત્રીમાં ભારતના મહાન લોકો એવા છત્રપતિ શિવાજી મહારાજ, ભગતસિંહ, વલ્લભભાઈ પટેલ વગેરેની તસ્વીરો પણ મુકવામાં આવેલ છે. લોકો આ કંકોત્રીથી ખૂબ આકર્ષિત પણ થયા છે અને રાદડિયા પરિવારની ખૂબ વાહ વાહ પણ કરી રહ્યા છે. લોકોમાં તમામ યોજનાઓ પ્રત્યે જાગૃતિ ફેલાય અને મોટી સંખ્યામાં લોકો યોજનાઓનો લાભ લે તે હેતુસર આ રાદડિયા પરિવાર દ્વારા પુત્રના લગ્નમાં આવી કંકોત્રી છપાવી છે જેના દરેક લોકો હાલ વખાણ કરી રહ્યા છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે