GujaratSouth GujaratSurat

પતિએ બાળકોનું DNA ટેસ્ટ કરાવતા થયું એવું કે….

ગુજરાતમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે. અત્યાર સુધી તો એવા ઘણા કેસ આવ્યા કે જેમાં કોઈ યુવકે મહિલાને પોતાની પ્રેમ જાળમાં ફસાવીને લગ્ન કર્યા બાદ છોડી દીધી હોય. અને પછી મહિલા આ મામલે બળાત્કારની ફરિયાદ નોંધાવતી હતી. પરંતુ સુરત શહેરના એક યુવાને પોતાના સંતાનનું DNA ટેસ્ટ કરાવતા તેમાં એક સંતાન પોતાનું ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે પતિએ તેની પત્ની વિરુદ્ધ કોર્ટમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી માહિતી અનુસાર, સુરત શહેરમાં વર્ષ 2010માં આ યુવક અને યુવતીના લગ્ન થયા હતા. લગ્ન સમયે યુવતીએ પોતે કુંવારી છે તેવી જણાવ્યું હતું. પરંતુ જ્યારે પતિને જ્યારે એવું લાગ્યું કે તેનું શોષણ થઇ રહ્યું છે ત્યારે તેણે તેના સંતાનોનું DNA ટેસ્ટ કરાવ્યું હતું. જેમાં સામે આવ્યું કે તેનું એક સંતાન તેનું નથી. ત્યારે લગ્નના 9 વર્ષ બાદ 9 વર્ષ બાદ યુવક પોતાની પત્ની વિરુદ્ધ દુષ્કર્મનો ગુનો દાખલ કરાવવા માટે પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.પરંતુ પોલીસે ફરિયાદ ના કરતા આ સમગ્ર મામલો હવે કોર્ટમાં પહોંચ્યો છે. પતિએ આરોપ લગાવ્યો છે કે લગ્ન કર્યા પછી પણ પત્નીએ બીજા પુરુષો સાથે પ્રેમસંબંધ રાખીને પતિનું શારીરિક શોષણ કર્યું છે. હાલ તો આ મામલાને લઈને સમગ્ર શહેરમાં ચકચાર મચી જાવા પામી છે.

મહત્વનું છે કે, 2010માં આ યુવક યુવતીના લગ્ન થયા હતા. જો કે લગ્નના નવ વર્ષ પછી એટલે કે 2019માં યુવતીને બીજા પુરુષ સાથે આડા સંબંધ હોવાનું સામે આવ્યું હતું. તેમજ યુવતીએ આ પહેલા પણ એક એક યુવક સાથે લગ્ન કર્યા હોવાના પુરાવા પણ આ યુવકને મળ્યા હતા. ત્યારે હાલ તો આ સમગ્ર મામલો કોર્ટમાં પહોંચ્યો છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે