BollywoodIndia

મહાભારતના ‘શકુની મામા’ નું નિધન, 78 વર્ષની વયે દુનિયાને અલવિદા કહ્યું

મહાભારતના ‘શકુની મામા’ ગૂફી પેન્ટલે આજે દુનિયાને અલવિદા કહ્યું. અભિનેતાનું 78 વર્ષની વયે અવસાન થયું. અભિનેતા છેલ્લા ઘણા દિવસોથી બીમાર હતા. તેમને 31 મેના રોજ પણ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલમાં દાખલ કર્યા બાદ પણ તેમની સ્થિતિમાં કોઈ સુધારો થયો ન હતો. આ સમાચારથી બોલિવૂડમાં શોકનો માહોલ છે. તેમના અંતિમ સંસ્કાર આજે સાંજે 4 વાગ્યે મુંબઈમાં કરવામાં આવશે.

‘શકુની મામા’ એટલે કે બોલિવૂડના સિનિયર એક્ટર ગૂફી પેન્ટલની તબિયત અચાનક બગડી ગઈ, તે સમયે તેઓ ફરીદાબાદમાં હતા. આ પહેલા તેને ફરીદાબાદની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમની તબિયતમાં સુધારો ન થતાં તેમને મુંબઈ લાવવામાં આવ્યા હતા.

અભિનેતા ગૂફીએ વર્ષ 1975માં ફિલ્મ ‘રફુ ચક્કર’ દ્વારા બોલિવૂડમાં પ્રવેશ કર્યો હતો. આ પછી, તે ઘણી ફિલ્મો અને ટીવી શોમાં કામ કરવાનું ચાલુ રાખ્યું. આ ભૂમિકાઓએ તેમ =ને કોઈ ખાસ ઓળખ આપી ન હતી. તેમને વાસ્તવિક ઓળખ વર્ષ 1988માં બીઆર ચોપરાના સુપરહિટ શો ‘મહાભારત’થી મળી હતી. આ શોમાં તેણે કંસના મામા શકુનીની ભૂમિકા ભજવી હતી. પછી શું હતું, ત્યારથી તેઓ દરેક ઘરમાં ‘શકુની મામા’ના નામથી પ્રખ્યાત થઈ ગયા.

‘શકુની મામા’ એટલે કે વરિષ્ઠ બોલિવૂડ એક્ટર ગૂફી પેન્ટલ અગાઉ સેનામાં હતા. તેણે સેના છોડીને અભિનય કરવાનું પસંદ કર્યું.અભિનેતાનો ભાઈ અમરજીત પેન્ટલ ફિલ્મી દુનિયાનો એક ભાગ હતો. તેમને જોઈને અભિનેતાએ અભિનય કરવાનું નક્કી કર્યું. તમને જણાવી દઈએ કે, અભિનેતાની ઘણી મોટી ફેન ફોલોઈંગ હતી. તેમના પાત્રો દુનિયા છોડી ગયા પછી પણ અમર છે.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે