SaurashtraGujaratSurendranagar

સુરેન્દ્રનગર ના સાયલા ચોટીલા હાઈવે પર મૃત પશુ ને કાર અથડાતા સર્જાયો ભયંકર અકસ્માત, કાકા-ભત્રીજા ના મોત

રાજ્ય સહિત સમગ્ર દેશમાં દરરોજ રોડ અકસ્માતમાં મોત થતા હોવાનું સામે આવતું રહે છે. લોકોની બેદરકારીને કારણે અકસ્માતના મોત માં વધારો થઈ રહ્યો છે, હાલના સમયમાં આ રોડ અકસ્માતમાં મોટો વધારો નોંધાઈ રહ્યો છે. ત્યારે આ અકસ્માત માં બનાવમાં નાનાથી લઈને મોટા દરેક ભોગ બનતા રહે છે. ત્યારે વધુ એક અકસ્માત સાયલા ચોટીલા હાઈવેથી સામે આવ્યો છે.

તેની સાથે સાયલા ચોટીલા હાઇવે પર સર્જાયેલ આ અકસ્માતમાં કાકા ભત્રીજાના કરુણ મૃત્યુ નીપજ્યું છે. જ્યારે સાત લોકોને ઇજા થતા સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જેમાં એકની હાલત ગંભીર હોવાની જાણકારી સામે આવી છે. લીંમડીથી છાસિયા ભજનના કાર્યક્રમમાં જતા સમયે કારનો અકસ્માત સર્જાયો હતો.

સુરેન્દ્રનગરના સાયલા ચોટીલા હાઈવે કાર રસ્તા પર મૃત પશુ સાથે અથડાતા અકસ્માત સર્જાતા કારમાં સવાર કાકા ભત્રીજાના કરૂણ મૃત્યુ નીપજ્યા હતા. આ ઘટનામાં સાત લોકોને ઈજા પહોંચી હતી. ઈજાગ્રસ્તોને સારવાર માટે સાયલા સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. જ્યારે વધુ સારવાર માટે સુરેન્દ્રનગર રીફર કરાયા હતા. ઈજાગ્રસ્તોમાં એકની હાલત ગંભીર રહેલી છે. તમામ લોકો લીંબડીથી છાસિયા ભજનના કાર્યક્રમ માટે જઈ રહ્યા હતા.

આ ઘટનામાં સવજીભાઈ કોશિયા અને કલ્પેશ કોશિયાના કરુણ મૃત્યુ નીપજ્યા છે. મૃતકના પરિવારજનોને જાણ થતા તે હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા. જ્યારે ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે સુરેન્દ્રનગર ટીબી હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યા છે. તેની સાથે કાકા-ભત્રીજાના મૃત્યુથી પરિવારજનોમાં દુઃખનું મોંજુ ફરી વળ્યું છે.