Ajab GajabGujarat

તમારું આધારકાર્ડ નકલી તો નથી ને? આ રીતે ચેક કરો

આધાર કાર્ડને ભલે નાગરિકતાના પુરાવા તરીકે માનવામાં ન આવે, પરંતુ સરકારી યોજના સાથે જોડાયેલા દરેક કામ માટે આ કાર્ડ જરૂરી છે. શાળામાં પ્રવેશની વાત હોય કે હોસ્પિટલમાં દાખલ થવું હોય પણ આધાર કાર્ડ આપવું ફરજિયાત છે. તેથી જ તે આપણા જીવનનો સૌથી જરૂરી દસ્તાવેજ બની ગયો છે.

જો તમારે વીજળીનું કનેક્શન જોઈએ છે, તો આધાર કાર્ડની જરૂર પડશે. એલપીજી સિલિન્ડર કનેક્શન લેવાનું છે, તો પણ આધાર કાર્ડની જરૂર પડશે. જો તમને સરકારી સબસિડી જોઈતી હોય, જો તમે પ્રધાનમંત્રી કિસાન સન્માન યોજના નો લાભ ઈચ્છતા હોવ તો તમારે આધાર કાર્ડ આપવું ફરજિયાત છે.આવી સ્થિતિમા, આપણે જોઈ રહ્યા છીએ કે આધાર કાર્ડ આપણા જીવનનો સૌથી મહત્વપૂર્ણ દસ્તાવેજ અને મહત્વપૂર્ણ ભાગ બની ગયો છે. તેનું મહત્વ એ વાત પરથી સમજી શકાય છે કે બાળકોના આધાર કાર્ડ શાળામાં જ બનાવવામાં આવે છે.

કોરોનાવાયરસ રોગચાળાથી બચવા માટે, રસી લેવાની હોય કે પછી આવકવેરા રિટર્ન ભરવા માટે, દરેક જગ્યાએ આધાર કાર્ડ ફરજિયાત કરવામાં આવ્યું છે. જો તમે ક્યાંક ફરવા જાવ છો, તો તમારે હોટલ બુક કરાવવા માટે પણ આધાર કાર્ડ આપવું પડશે.આધાર તમારી ઓળખનો પુરાવો ન હોઈ શકે, પરંતુ તેનો નંબર એટલે કે યુનિક આઈડેન્ટિફિકેશન નંબર, તમારી ઓળખ દરેક જગ્યાએ સાબિત કરે છે. તમારું સરનામું પ્રમાણિત કરે છે. વર્ષ 2009 માં ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ આધાર, કેન્દ્રના ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી પ્રૌદ્યોગિકી મંત્રાલય (MEITY) હેઠળ આવે છે.

તમે જાણો છો કે દેશમાં જેમ જેમ ડિજિટલાઈઝેશન થઈ રહ્યું છે તેમ તેમ સાયબર ફ્રોડ પણ વધી રહ્યા છે. આવી સ્થિતિમાં, આધાર કાર્ડ, પાન કાર્ડ અને મતદાર ઓળખ કાર્ડ સહિત તમામ મહત્વપૂર્ણ દસ્તાવેજો બનાવટી બનાવવામાં આવી રહ્યા છે. તેનો ઘણો દુરુપયોગ પણ થઈ રહ્યો છે. તેથી, એ જાણવું જરૂરી છે કે તમારી પાસેનું તમારું આધાર કાર્ડ સાચુ છે કે નકલી.

આજકાલ, નકલી પાન કાર્ડના વધતા જતા કિસ્સાઓને કારણે, યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI) એ ઘણા કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે. તેનો હેતુ નકલી પાન કાર્ડના મામલાઓને રોકવાનો છે. જેટલો ઝડપથી આધાર કાર્ડનો ઉપયોગ વધી રહ્યો છે તેટલી જ ઝડપથી તેની છેતરપિંડી પણ વધી રહી છે. આધાર કાર્ડ જારી કરતી સંસ્થા UIDAIએ ચેતવણી આપી છે કે તમામ 12 અંકના નંબરો આધાર હોવા જોઈએ, તે જરૂરી નથી.

એટલા માટે એ મહત્વનું છે કે તમે તમારા આધાર કાર્ડની ઓળખની ખાતરી કરો. ખાતરી કરો કે તમારી પાસે જે આધાર કાર્ડ છે, એટલે કે તમારું 12 અંકનું યુનિક આઇડેન્ટિટી કાર્ડ, તે અસલી છે કે નકલી. આ માટે, તમારે UIDAI ના સત્તાવાર પોર્ટલ પર જઈને નીચેની બાબતો કરવી પડશે. તો જ તમે ખાતરી કરી શકશો કે તમારું આધાર કાર્ડ સાચું છે. જાણો આખી પ્રક્રિયા..

સૌથી પહેલા UIDAIની ઓફિશિયલ વેબસાઈટ પર જાઓ. Aadhaar Services પર ક્લિક કરો.હવે ‘Verify an Aadhaar number’ પર ક્લિક કરો. અહીં તમને તમારો 12 અંકનો નંબર એટલે કે આધાર નંબર દાખલ કરવા માટે કહેવામાં આવશે. અહીં તમારે આધાર કાર્ડમાં દર્શાવેલ 12 અંકો દાખલ કરવાના રહેશે. હવે ‘Proceed to Verify’ પર ક્લિક કરો

તમારું આધાર કાર્ડ ખુલી જશે. તેના પર તમારું નામ, ઉંમર, લિંગ, રાજ્ય વગેરે વિગતો લખેલી છે.જો વિકલ્પ માન્ય દેખાતો નથી, તો તમે માની શકો છો કે તમારી પાસે જે આધાર કાર્ડ છે તે નકલી છે. જો બધું સરખું કામ કરે તો ચિંતા ન કટો. તમારું કાર્ડ અસલી છે અને તેનો ગમે ત્યાં નિર્ભયતાથી ઉપયોગ કરો. હા તમારું આધાર કાર્ડ ક્યારેય અજાણ્યા વ્યક્તિના હાથમાં ન આપો. છેતરપિંડી કરનારા તેનો દુરુપયોગ કરી શકે છે.