Gujarat

કોરોનાના કહેરને જોતા અંબાજી મંદિર અને બહુચરાજી મંદિરને આ તારીખ સુધી દર્શન માટે કરવામાં આવ્યા બંધ

રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી રાજ્યમાં ૨૦ હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે. જેના લીધે ગુજરાતમાં ભયનો માહોલ સર્જાયો છે. ગુજરાતમાં કોરોનાના કહેરને જોતા અંબાજી મંદિર અને બહુચરાજી મંદિરને લઈને મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જો તમે અંબાજી મંદિર અને બહુચરાજી મંદિર જઈ રહ્યા છો તમારા માટે આ સમાચાર જરૂરી છે.

પ્રાપ્ત માહિતી મુજબ, અંબાજી મંદિર અને બહુચરાજી મંદિર દર્શનાથીઓ માટે ૩૧ મી જાન્યુઆરી સુધી બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના લીધે હવે આ બંને મંદિર ૩૧ મી જાન્યુઆરી સુધી બંધ રહેશે જેના લીધે તમે દર્શન કરી શકશો નહીં.તેમ છતાં ભક્તો 31 મી જાન્યુઆરી સુધી સોશિયલ મિડીયાના માધ્યમ દ્વારા સવાર અને સાંજની આરતીનું જીવંત પ્રસારણ જોઈ શકશે. તેની સાથે ભક્તો આ રીતે આરતીનો લાભ મેળવી શકશે પરંતુ મંદિરમાં જઈણે દર્શન કરી શકશે નહીં.

તેની સાથે તમે જો માતાજીના દર્શન કરવા ઈચ્છી રહ્યા છો તો તમે યુટ્યુબ, ટ્વિટર અને ફેસબુકનાં માધ્યમ દ્વારા દર્શનનો લાભ લઇ શકશો.નોંધનીય છે કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 23,150 નવા કેસ સામે આવ્યા છે. તેમ છતાં તેની સાથે એક સારા સમાચાર પણ સામે આવ્યા છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાની સારવાર દરમિયાન 10,103 દર્દીઓ સાજા પણ થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં 15 લોકોના મોત નીપજ્યા છે.