Gujarat

બહુચર્ચિત GSSSBના ચેરમેન અસિત વોરાએ આપ્યું રાજીનામું

GSSSBના ચેરમેન અસિત વોરાએ હાલ તેમના પદેથી રાજીનામુ આપી દીધું છે. હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યા બાદ અસિત વોરાના રાજીનામાની ઉગ્ર માંગ ઉઠી હતી. ત્યારે અસિત વોરાએ પેપર ફૂટયાના બે બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. અસિત વોરાની સાથે બળવંત સિંહ રાજપૂત અને આઈ.કે જાડેજાનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે.

ઉલ્લેખનીય છે કે, 12 ડિસેમ્બર 2021ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળની યોજાયેલી હેડ ક્લાર્કની પરીક્ષાનું પેપર ફૂટ્યુ હતું. જેને લઈને સરકારમાં ભારે દોડધામ મચી ગઈ હતી. આ પેપરકાંડ બાદ અસિત વોરાના રાજીનામાની માંગ ઉઠી હતી. આસિત વોરાના રાજીનામાની માંગને લઈને રાજ્યભરમાં આમ આદમી પાર્ટી તેમજ કોંગ્રેસના કાર્યકરોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. બીજી તરફ રાજ્ય સરકાર અસિત વોરાને છોવરી રહી હોય તેવા આક્ષેપો પણ થયા હતા.

તમને જણાવી દઈએ કે, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના ચેરમેન પડે રહેતા અસિત વોરાના કાર્યકાળમાં પેપર ફૂટવાની ઘટના બે વખત બની ચૂકી હતી. જેમાં હમણાં જ 12 ડિસેમ્બર 2021ના રોજ હેડ ક્લાર્કની યોજાયેલ પરીક્ષામાં પેપર ફૂટ્યું હતું. અને અગાઉ વર્ષ 2019માં પણ બિનસચિવાલય ક્લાર્કની ભરતી માટે લેવાયેલ પરીક્ષામાં પણ પેપર ફૂટ્યું હોવાનું સામે હતું. અને બંને ઘટનાઓ વખતે GSSSBના ચેરમેન પદે અસિત વોરા જ હતા.

નોંધનીય છે કે, આ વર્ષે ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે થોડા સમય પહેલા જ બોર્ડ અને નિગમના ચેરમેનો પાસેથી રાજીનામાં લેવામાં આવ્યા હતા. ત્યારે હવે આજે ઘણા સમયથી ચર્ચામાં રહેલ GSSSBના ચેરમેન આસિત વોરાનું રાજીનામું લેવામાં આવ્યું છે. તેમની સાથે બળવંત સિંહ રાજપૂત અને આઈ.કે જાડેજાનું પણ બોર્ડ નિગમમાંથી રાજીનામું લેવામાં આવ્યું છે.