CrimeGujarat

ધંધુકા: કિશન ભરવાડ હત્યા કેસમાં થયો વધુ એક મોટો ખુલાસો

ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. આ હત્યાના કેસમાં સતત મોટા ખુલાસાઓ થઈ રહ્યા છે. જયારે આ કેસની વાત કરવામાં આવે તેમાં અત્યાર સુધી સાત લોકોની ધરપકડ કરવામાં આવી છે. તેની સાથે આજે પણ આ બાબતમાં મોટો ખુલાસો થયો છે.

આ કેસમાં આજે જાણકારી સામે આવી છે કે, આરોપી મૌલાના ઐયુબ અને કમરગની હત્યાના આરોપીઓની ગતિવિધિઓને લઈને મોટી જાણકારી સામે આવી છે. મૌલાના ઐયુબની વાત કરવામાં આવે તો તેના દ્વારા તહેરિક-એ-ઈસ્લામ સંસ્થા ચલાવવામાં આવે છે જેમાં જોડાયેલ યુવાનોને જેહાદી પ્રવૃતિ માટે ઉપયોગ કરવામાં આવતો હતો.

જ્યારે તહેરિક ફરોઘ-એ-ઈસ્લામ સંસ્થામાં જોડાવવા માટે 365 રૂપિયા આપી અને ભરતી કરવામાં આવતી હતી. નોંધનીય છે કે, મંગળવારના રોજ પોલીસને શંકાસ્પદ સાહિત્ય મળી આવ્યું હતું જેમાં સમગ્ર બાબતનો ખુલાસો થયો છે. મૌલાના ઐયુબ દ્વારા એક પુસ્તકને લખવામાં આવ્યું હતું જેમાં માત્ર જેહાદી પ્રવૃત્તિ વિશે જ જણાવવામાં આવી રહ્યું હતું. આ પુસ્તકની નામ મૌલાના ઐયુબ દ્વારા ‘જસ્બે શહાદત’ રાખવામાં આવ્યું હતું. તેને ડિસેમ્બરમાં લોન્ચ કરવામાં આવી હતી.

આ પુસ્તકને એટીએસ દ્વારા જપ્ત કરી લેવામાં આવ્યું છે. જ્યારે આ પુસ્તકમાં ભડકાઉ લખાણ જ સિવાય બીજું કંઈપણ નહોતું. જેના લીધે મૌલનાની મુશ્કેલીઓમાં વધારો થઈ શકે છે. અમદાવાદમાં તહેરિકે ફરોગે ઈસ્લામ નામની સંસ્થાની એક બ્રાન્ચ રહેલી છે અને તે પણ ગોમતીપુરમાં હોવાની જાણકારી સામે આવી છે. આ પુસ્તકમાં જણાવવામાં આવ્યું છે કે, જો કોઈ પોતાના ધર્મનું અપમાન કરે તો તેનો રસ્તો કાઢવો વગેરે ભડકાવ સુત્રો જણાવવામાં આવ્યા હતા. તેની સાથે એ પણ જાણકારી સામે આવી છે કે, આ પુસ્તક લખવામાં આવ્યું છે કે, ‘ધર્મ વિરુદ્ધ બોલનારાણે સજા ન આપનારને જીવન જીવવાનો કોઈ અધિકારી રહલો નથી. આવ અનેક નિવેદનો તેમાં આપવામાં આવ્યા છે.