રાજ્યમાં સતત કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે. રાજ્યમાં સતત કોરોનાના 15 હજારથી વધુ કેસ સામે આવી રહ્યા છે તેના ચિંતાનો માહોલ ઉભો થઈ રહ્યો છે. પરંતુ રાજ્યમાં શાળા અને કોલેજોને ખોલવા માટે શાળા સંચાલકો દ્વારા ગઈ કાલે માંગણી કરવામાં આવી હતી. આ સિવાય રાજ્યમાં આજે ગણતંત્ર દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે. તેના લીધે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી રાજકોટ શહેર પહોંચ્યા હતા અને તેમને પોલીસ હેડ ક્વાર્ટરમાં ધ્વજવંદન કર્યું હતું.
આ આયોજન દરમિયાન તેમના દ્વારા શિક્ષણને ફરી શરુ કરવાને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું હતું.આ મામલામાં શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કહેવામાં આવ્યું છે કે, શાળાઓ ખોલવા અંગે વિદ્યાર્થીઓના હિતને જોતા નિર્ણય લેવામાં આવશે. શિક્ષણ લર્નિંગ લોસ ખૂબ જ ઘણો થયો છે. અત્યારની સ્થિતિ પર અમારી નજર રહેલી છે. વાલીઓની જેમ સરકાર દ્વારા પણ શાળા ખોલવા અંગે સંવેદનશીલ રૂપથી નજર રાખવામાં આવી રહી છે.
સાથે જ તેમણે શાળાઓના ફી વધારાના નિર્ણય અંગે કહ્યુ કે, આ બોડી હાઇકોર્ટ દ્વારા મળેલ સૂચના મુજબ સ્વતંત્ર બની છે. તેમજ રાજ્યની 4 ગર્લ્સ હાઈસ્કૂલમાં પુરુષ આચાર્યની નિમણૂક અંગે શિક્ષણ મંત્રીએ કહ્યું હતું કે, નિયયમાનુસાર ફેરફાર કરવાનો થશે તો કરીશું.
નોંધનીય છે કે, ગઈ કાલના કોરોના નો કહેર ઓછો થતા રાજકોટ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીને માંગણી કરવામાં આવી હતી કે, ધોરણ ૧ થી ૯ ના વર્ગો ફરી શરુ કરવામાં આવે. તેના લીધે આ મામલો ચર્ચાનો વિષય બની ગયો હતો.