Gujarat

ગુજરાતમાં ઉત્તરાયણ પર્વ પર કોરોનાના નોંધાયા રેકોર્ડ કેસ

ઉત્તરાયણના પર્વ પર ગુજરાતમાં કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. ઉત્તરાયણ ના દિવસે કોરોનાના કેસોએ ગુજરાતમાં હાહાકાર સર્જ્યો છે. કેમકે આજના કેસ સરકારની ચિંતા વધારનાર છે. ગુજરાતમાં કોરોનાની કેસની વાત કરીએ તો આજે ૧૦ હજારથી વધુ કેસ સામે આવ્યા છે. જે સરકારની ચિંતા વધારી રહ્યા છે.

ગુજરાતમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૧૦,૦૧૯ કેસ સામે આવ્યા છે. જ્યારે બે લોકોના મોત નીપજ્યા છે અને તેની સાથે ૪૮૩૧ દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. તેની સાથે સતત કોરોનાના કેસમાં નિરંતર વધારો જોવા મળી રહ્યો છે અને લોકો હજુ પણ બેદરકારી દાખવતા જોવા મળી રહ્યા છે. તે પણ એક કોરોનાના કહેર વધારનાર કારણ છે.

તેની સાથે અમદાવાદમાં કોરોનાના કેસ સતત વધવા લાગ્યા છે. જેના અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં આજે છેલ્લા ૨૪ કલાકમાં ૩૦૯૦ કેસ સામે આવ્યા છે. જ્યારે ૨૨૯૭ દર્દીઓ કોરોનાની સારવાર દરમિયાન સાજા થયા છે.

જ્યારે સુરતમાં પણ કોરોનાનો કહેર યથાવત જોવા મળી રહ્યો છે. અમદાવાદ બાદ સુરતમાં સૌથી વધુ કેસ સામે આવી રહ્યા છે તે પણ સરકારની ચિંતા વધારી રહ્યા છે. સુરત કોર્પોરેશનમાં આજે ૨૯૮૬ કેસ સામે આવા છે. જ્યારે ૯૩૦ દર્દીઓ સારવાર દરમિયાન સાજા થયા છે. તેની સાથે વડોદરા કોર્પોરેશનમાં 1274 નવા કેસ નોંધાયા છે.

તેની સાથે રાજ્યમાં એક્ટીવ કેસનો આંકડો ૫૫૭૯૮ પહોંચ્યો છે. જેમાં ૫૪ દર્દીઓ વેન્ટીલેટર પર રહેલા છે. જ્યારે ૫૫૭૪૪ દર્દીઓ સ્ટેબલ રહેલા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો આંકડો 8,40,971 પહોંચ્યો છે. આ સિવાય અત્યાર સુધી કોરોનાથી મુત્યુ થવાનો આંકડો 10144 પહોંચ્યો છે. આજે નવસારીમાં 1 અને વલસાડમાં 1 દર્દીનું મોત નીપજ્યું હતું.