GujaratNews

ગુજરાતમાં કોરોનાનો કહેર ઘટ્યો, પરંતુ મોતના આંકડા ભય ફેલાવનારા

ગુજરાતમાં કોરોનાના કેસની સંખ્યામાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસ આઠ હજારની અંદર પહોંચી ગયા છે જે પહેલા 20 હજારથી ઉપર આવી રહ્યા હતા. પરંતુ હવે કોરોનાનો કહેર શાંત પડ્યો છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 7606 નવા કેસ સામે આવ્યા છે. તેની સાથે એક સારી વાત પણ છે કે કોરોનાની સારવાર દરમિયાન 13,195 દર્દી સાજા પણ થયા છે. તેમ છતાં આજે પણ 34 દર્દીના મોત નીપજ્યા છે.

રાજ્યમાં એક્ટીવ કેસની વાત કરીએ તો હાલ 63,564 એક્ટિવ કેસ રહેલા છે જેમાંથી 266 દર્દીઓ વેન્ટિલેટર પર રહેલા છે. તેની સાથે રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો આંકડો 11,11,394 પહોંચ્યો છે જ્યારે મોતનો આંકડો 10,579 પહોંચ્યો છે. રાજ્યમાં રિકવરી રેટ સુધરીને 93.75 પહોંચી ગયો છે. જ્યારે રાજ્યમાં છેલ્લા કલાકમાં 34 નાગરિકોના મોત નીપજ્યા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશન 10, વડોદરા કોર્પોરેશન 4, ભરૂચ 3, સુરત 3, સુરત કોર્પોરેશન 3, રાજકોટ કોર્પોરેશન 2, ગાંધીનગર કોર્પોરેશન 2, ભાવનગરમાં 1, પંચમહાલમાં 1, વલસાડમાં 1, જામનગર કોર્પોરેશન 1, મોરબી 1, ભાવનગર કોર્પોરેશન 1, ખેડામાં 1 દર્દી સાથે 34 લોકોના મોત નીપજ્યા છે.

તેની સાથે અમદાવાદ કોર્પોરેશનમાં 3118 નવા કેસ સામે છે જ્યારે 4397 દર્દીઓ સાજા પણ થયા છે. આ સિવાય વડોદરા કોર્પોરેશનમાં 1127 કેસ સામે આવ્યા છે અને 2370 દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં આ બંને શહેરોમાં જ ચાર આંકડામાં કેસ સામે આવ્યા છે. આ સિવાય ગાંધીનગર કોર્પોરેશનમાં 354, વડોદરામાં 286, રાજકોટ કોર્પોરેશનમાં 238, મહેસાણામાં 230, સુરત કોર્પોરેશનમાં 227, રાજકોટમાં 172, ગાંધીનગરમાં 171, સુરતમાં 162, આણંદમાં 151, બનાસકાંઠામાં 149, પાટણમાં 128, ખેડામાં 123, ભરૂચમાં 116 અને કચ્છમાં 111 નવા કેસ સામે આવ્યા છે. જેમાં ત્રણ આંકડામાં કેસ નોંધાયા છે.