ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેર થઇ શાંત, છેલ્લા 24 કલાકમાં 6097 કેસ નોંધાયા
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર હવે શાંત થઇ રહી છે. કેમકે ગુજરાતમાં સતત કોરોનાના કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં છેલ્લા થોડા દિવસો પહેલા 20 હજારથી વધુ કોરોનાના કેસ આવી રહ્યા હતા હવે તે સાત હજારની અંદર આવી ગયા છે. તે એક રાહતની વાત છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 6097 કેસ નોંધાયા છે.
જ્યારે રાહતની વાત એ પણ છે કે, છેલ્લા 24 કલાકમાં 12,105 દર્દીઓ સારવાર દરમિયાન સાજા પણ થયા છે. તેની સાથે આજના આંકડા સાથે કોરોનાથી સાજા થવાનો આંકડો 11,23,499 પહોંચી ગયો છે અને મુત્યુઆંકનો આંકડો 10,164 પહોંચ્યો છે. જ્યારે રિકવરી રેટ 94.28 ટકા પહોંચી ગયો છે. રાજ્યમાં કોરોનાના કેસની વાત કરવામાં આવે તો હાલ એક્ટિવ કેસ 57521 પહોંચ્યો છે જેમાં 248 દર્દી વેન્ટિલેટર પર રહેલા છે જ્યારે 57273 દર્દીઓ સ્ટેબલ રહેલા છે. રાજ્યમાં કોરોનાથી સાજા થવાનો દર સુધરીને 94.28 ટકા પહોંચી ગયો છે.
ગુજરાતના મોટા શહેરોની વાત કરવામાં આવે તો અમદાવાદ કોર્પોરેશનમાં 1985, વડોદરા કોર્પોરેશનમાં 1215, રાજકોટ કોર્પોરેશનમાં 237, સુરત કોર્પોરેશનમાં 204, ગાંધીનગર કોર્પોરેશનમાં 203, ભાવનગર કોર્પોરેશનમાં 77, જામનગર કોર્પોરેશનમાં 75, જુનાગઢ કોર્પોરેશનમાં 5 નવા કેસો સામે આવ્યા છે. તેના સિવાય ખેડામાં 181, મહેસાણામાં 173, કચ્છમાં 151, આણંદમાં 89, બનાસકાંઠામાં 88, સાબરકાંઠામાં 80, મોરબીમાં 79, ભરૂચમાં 61, પાટણમાં 60 નવા કેસો સામે આવ્યા છે.