ગુજરાતનું જે નામ વિશ્વભરમાં પ્રખ્યાત છે તે રેલવે સ્ટેશનના નામને બદલવામાં આવ્યું, હવે આ નામથી ઓળખાશે
કેવડિયા તરીકે વિશ્વભરમાં ઓળખાણ બનાવનારનું નામ બદલાઈ ગયું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી બન્યા બાદ કેવડિયા વિશ્વસ્તરમાં પ્રખ્યાત બન્યું છે. જ્યાવે હવે તેને લઈને સમાચાર સામે આવ્યા છે કે, કેવડિયાના રેલવે સ્ટેશનનું નામ બદલાઈ ગયું છે.નોંધનીય છે કે, નર્મદા કેવડિયા રેલવે સ્ટેશનનું નવું નામ એકતાનગર રાખવામાં આવ્યું છે. રેલવે સ્ટેશન પર એકતાનગરનું બોર્ડ લગાવવામાં આવ્યું છે.
નવું નામ બદલવા માટે જિલ્લા કલેકટર કચેરીથી સંપૂર્ણ પ્રક્રિયા કરાઈ હતી. કેવડિયા ગ્રામ પંચાયતમાં ઠરાવ બાદ નામ બદલાયું છે. જ્યારે કેવડિયામાં રેલવે સ્ટેશન પર એકતા નગરના બોર્ડ લગાવી દેવાયું છે.જ્યારે પ્રવાસીઓ અને મુલાકાતીઓને પ્રથમ પસંદ માટે પૂછવામાં આવે તો તે કેવેડીયાનું જ નામ લેશે. કેમકે અહીં અનેક ફરવા, માણવા અને જોવા લાયક સ્થળો ઉભા કરવામાં આવ્યા છે.
જેના લીધે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રેલવે સેવા ઉભી કરાઈ છે, જેના કારને મુસાફરો રેલવે દ્વારા કેવડિયા સુધી પહોંચી શકે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા નવી કેવડિયા-વડોદરા રેલ્વે લાઇન અને કેવડિયા રેલ્વે સ્ટેશનનું ઇ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું.કેવડિયાની વાત કરવામાં આવે તો તે દેશનું પ્રથમ ઈકો ફ્રેન્ડલી રેલવે સ્ટેશન રહેલું છે. જ્યાં દેશના પ્રથમ ઇકો ફ્રેન્ડલી રેલ્વે સ્ટેશનમાં વીજ લાઇનની સાથે સોલાર સિસ્ટમ પણ લગાડવામાં આવી છે જેના લીધે સમગ્ર રેલવે સ્ટેશન સોલાર પાવરથી ચલાવવામાં આવશે. સોલાર પાવરથી 200 કિલો વોટનું વીજ ઉત્પાદન કરી શકાશે.