BollywoodIndia

લતા મંગેશકર અંગે મોટા સમાચાર: ગઈકાલે કોરોના પોઝીટીવ બાદ તેમને ICUમાં દાખલ કરાયા હતા

ગાયિકા લતા મંગેશકરનો શનિવારે કોરોના ટેસ્ટ થયો હતો, જેનો રિપોર્ટ આવ્યા બાદ તેમને બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેની ભત્રીજીના જણાવ્યા મુજબ તેમનામાં હળવા ચેપના લક્ષણો છે. તેમની ઉંમરને કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

હવે સમાચાર આવ્યા છે કે પીઢ ગાયિકા લતા મંગેશકરની હાલત સ્થિર છે. ભત્રીજી રચના શાહે લતા મંગેશકરની તબિયત અંગે અપડેટ આપી છે. સ્વર કોકિલા તરીકે જાણીતી 92 વર્ષીય પીઢ ગાયિકાને દક્ષિણ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલના આઈસીયુમાં દાખલ કરવામાં આવી હતી. તેમનામાં કોરોનાના હળવા લક્ષણો છે અને તેમની સ્થિતિ સ્થિર હોવાનું કહેવાય છે, વરિષ્ઠ ડોકટરોની ટીમ તેમની સારવાર કરી રહી છે.

મળતી માહિતી મુજબ તેમની તબિયત સારી થઈ રહી છે, પરંતુ પરિવારના સભ્યોને અત્યારે તેને મળવાની મંજૂરી નથી. જોકે તેઓ હજુ પણ ICUમાં છે. કોરોના પોઝિટિવ હોવાને કારણે તેને 7 દિવસ સુધી ડોક્ટરની દેખરેખમાં રાખવામાં આવશે. 6 ડોક્ટરોની ટીમ તેમના પર નજર રાખી રહી છે. આવતીકાલે ડોકટરો લતા મંગેશકર પર હેલ્થ બુલેટિન જાહેર કરી શકે છે. પરિવારની સાથે-સાથે બોલિવૂડ સહિત અનેક મોટી રાજકીય હસ્તીઓએ પણ તેમના જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી છે.

લતા મંગેશકરની બહેન ઉષા મંગેશકરે જણાવ્યું કે લતા મંગેશકરની તબિયત હવે સારી છે, તેમને એક દિવસ પહેલા બ્રિજ કેન્ડી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને ઉંમરને કારણે તેમને અત્યાર સુધી આઈસીયુમાં રાખવામાં આવ્યા છે. અત્યાર સુધી તેમણે ડિસ્ચાર્જ અંગે કોઈ નિર્ણય લીધો નથી.