AAPGujaratPolitics

આમ આદમી પાર્ટીને મોટો ઝટકો: ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પાર્ટીમાંથી રાજીનામું આપ્યું, કહ્યું કે ભાજપ…

ગુજરાતમાં આજે આમ આદમી પાર્ટીને ૨ મોટા ઝટકા લાગ્યા છે. આજે આપ નેતા વિજય સુવાળા એ બપોરે ભાજપનો ખેસ ફેરી લેતા રાજકારણમાં ગરમાવો આવ્યો છે તો સાંજે વધુ એક નેતા સુરતના ઉદ્યોગપતિ મહેશ સવાણીએ પણ આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડી નાખ્યો છે. મહેશ સવાણીએ કહ્યું કે હું આપમાંથી નિવૃત્ત થવાની જાહેરાત કરું છું. હું સમાજ સેવા કરનારો માણસ છું. હવે હું સેવા જ કરીશ.

નોંધનીય છે કે આજે બપોરે જાણીતા લોક ગાયક અને આપમાં ૭ મહિના પેહલા જોડાનારા વિજય સુવાળાએ રાજીનામું આપી દીધું અને ભાજપ પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં આજે ભાજપમાં જોડાઈ ગયા હતા. આ સાથે જ આમ આદમી પાર્ટી અમદાવાદના યુવા ઉપાધ્યક્ષ નીલમબેન વ્યાસ પણ ભાજપમાં જોડાયા હતા.

મહેશભાઈ સવાણીની વાત કરીએ તો મૂળ ભાવનગરના રાપરડા ગામના મહેશ સવાણી સિવિલ એન્જિનિયરિંગ નો અભ્યાસ કર્યો છે.તેમના પિતા વલ્લભભાઈ વર્ષો પેહલા સુરતમાં આવ્યા હતા જે સુરતમાં વલ્લભ ટોપી ના નામથી ઓળખાય છે.સુરતમાં હીરાના વેપારમાં અને રીયલ એસ્ટેટમાં તેમણે ખુબ સફળતા મળેવી અને હાલમાં હીરા,એજ્યુકેશન, હોસ્પિટલ સહિતના ધંધામાં તેમનું સારું એવું નામ છે.

જણાવી દઈએ કે 2500 કરોડ રૂપિયાથી વધુંનુ ટર્નઓવર ધરાવતા આ ગ્રૂપના એમડી મહેશભાઈ સવાણી છે.મહેશ સવાણી જે રીતે દીકરીઓના લગ્ન કરાવે છે તે વાતથી ગુજરાતમાં લગભગ કોઈ અજાણ નહી હોય. મહેશભાઈ સવાણી હંમેશા સેવાકીય કાર્યોમાં જોડાયેલા રહે છે. લગ્ન હોય કે શહીદો ના પરિવારને મદદ કરવાની હોય તેઓ હંમેશા આગળ રહ્યા છે. તેમણે તેમને દીકરાના લગ્ન પણ ખુબ જ સાદાઈ થી કરીને સમાજમાં દાખલો બેસાડ્યો હતો.

તેઓ મહિનાઓ અગાઉ સેવા અર્થે આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા અને તાજેતરમાં જ ઉપવાસ આંદોલનમાં પણ તેઓ આગળ રહ્યા હતા. ગાંધીનગર કોર્પોરેશન ની ચૂંટણીમાં પ્રચાર દરમિયાન પણ મહેશભાઈ સવાણી નો મોટો ફાળો હતો. જો કે આજે અચાનક આમ આદમી પાર્ટી સાથે છેડો ફાડતા પાર્ટીના કાર્યકરો પણ આ વાતનો વિશ્વાસ કરી શકતા નથી.