Gujarat

દરેક સમસ્યાનું સમાધાન કાઢે તે ગુજરાતી, લગ્નમાં 400 ને બદલે 150 લોકોની મર્યાદા કરતા પરિવારે કાઢ્યો આ ઉપાય

રાજ્યમાં હાલમાં કોરોના કેસમાં મોટો ઉછાળો જોવા મળી રહ્યો છે. જેના કારણે રાજ્યની 8 મહાનગર પાલિકામાં રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે. આ ઉપરાંત કોરોના ને લઈને નવી ગાઈડલાઈન જાહેર કરવામાં આવી છે. જેમાં આજથી 22 જાન્યુઆરી સુધી રાજ્યમાં લગ્ન સમારોહમાં 150 જેટલા જ લોકોની મર્યાદા નક્કી કરવામાં આવી છે.

આ ઉપરાંત સામાજિક, ધાર્મિક અને રાજકીય સહિતના કાર્યક્રમોમાં પણ 150 લોકોની મર્યાદા જ નક્કી કરવામાં આવી છે. જે-તે શહેરમાં કોરોનાના કેસ, ટ્રેસિંગ, ટેસ્ટિંગ, સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક સહિતના નિયમોનું લોકોએ પાલન કરવું પડશે.હાલમાં હવે ઉતરાયણ બાદ લગ્નની સીઝન શરૂ થવા જઈ રહી છે જેને લઈને લોકોએ કમુત્રા પહેલા જ લગ્નનું આયોજન કરી દીધું છે આ દરમિયાન સરકારની ગાઈડલાઈન પ્રમાણે 400 લોકોને મંજૂરી આપવામાં આવી હતી પરંતુ હવે હાલમાં કોરોના કેસમાં મોટો ઉછાળો આવતા આ 400 લોકો માંથી માત્ર 150 લોકોને જ હાજર રહેવા માટે જાહેર કરવામાં આવ્યું છે.

ત્યારે આ અગાઉથી લગ્નનું આયોજન કરેલ લોકોનું ટેન્શન વધી ગયું છે. જો કે આ દરમિયાન એક કપલે આ સમસ્યાનું સમાધાન શોધી કાઢ્યું છે.આ વર કન્યાના પરિવાર અમદાવાદનો છે. જેમને આ સમસ્યાનો તોડ કાઢી દીધો છે. જેનાથી આ લગ્ન પણ થઈ જશે અને લગ્ન સમારંભમાં સબંધીઓ પણ જોડાઈ શકશે અને આ લગ્નમાં સંબંધીઓ હાજર પણ નહીં રહે તેવો ઉપાય કાઢ્યો છે જો કે આ પરિવારે આ સમસ્યાનો ઉકેલ લાવવા માટે ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે.

જો કે અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા રાજ કિરિ ના લગ્ન વાડજમાં રહેતી શ્રદ્ધા શાહ સાથે ઉતરાયણ બાદ આગામી 22 જાન્યુઆરીએ થવાના છે. જેમને તેમના લગ્ન માટે 400 લોકોને આમંત્રણ પણ આપી દીધા છે. ત્યારે હવે એકાએક સરકારની ગાઈડલાઈન બદલાતા હવે 150 પરિવાર જનો જ લગ્નમાં જઈ શકશે. ત્યારે હવે આ પરિવારે તેમના લગ્નની લાઈવ વિધિ સોશિયલ મીડિયા પર શેર કરશે. જેથી ઘરના અન્ય બાકી રહી જતા પરિવાર જનો પણ લગ્ન સમારંભમાં જોડાઈ શકશે. ત્યારે આ બાકી રહી જતા સગા સબંધીઓ લગ્નની વિધિ ઘરે બેઠાં નિહાળી શકશે.