BollywoodIndia

મૌની રોય લગ્નમાં લાગ્યું કોરોનાનુંગ્રહણ, હવે લગ્નમાં માત્ર આટલા જ મહેમાનો હાજર રહેશે

અભિનેત્રી મૌની રોય તેના લગ્નના કારણે બોલીવુડમાં ચર્ચાનો વિષય બનેલ છે. મૌની રાય બિઝનેસમેન સૂરજ નામ્બિયાર સાથે રિલેશનશિપમાં હતી અને હવે તે ૨૭ જાન્યુઆરીના તેની સાથે લગ્ન કરવા જઈ રહી છે. તેને લઈને ધીરે-ધીરે હવા નવા-નવા અપડેટ સામે આવી રહ્યા છે. દેશમાં કોરોનાનો કાળો કહેર જોવા મળી રહ્યો છે તેની અસર મૌની રોયના લગ્ન પર પણ જોવા મળી છે.

મૌની રોયના લગ્નમાં મહેમાનો સંખ્યામાં ઘટાડો કરવામાં આવ્યો છે. મૌની રોયના લગ્નમાં હવે માત્ર 50 મહેમાનો હાજર રહેવાનું હોવાનું સામે આવ્યું છે. આ વાતની જાણકારી એક નામી ચેનલ દ્વારા આપવામાં આવી છે. એવા એક વાત સ્પષ્ટ છે કે, કોરોનાના લીધે મૌની રોયના લગ્નમાં અસર પહોંચી છે.તેની સાથે તે પણ સામે આવ્યું છે કે, મૌની રોયના લગ્ન ગોવામાં છે અને જ્યારે જે લગ્નમાં આમંત્રણ આપવામાં આવેલ નથી તેને મુંબઈમાં રિસેપ્શનમાં આમંત્રણ આપવામાં આવશે. મુંબઈમાં તેમનું રિસેપ્શન ધૂમ-ધામથી મનાવવામાં આવશે.

લગ્ન સ્થળ ગોવામાં કેમ રાખવામાં આવ્યું હતું તેને લઈને પણ જાણકારી સામે આવી છે. સુત્રો મુજબ જાણવા મળ્યું છે કે, ‘મૌની રોય અને સુરજ નામ્બિયાર તેમના લગ્ન પ્રાઈવેટ રાખવા માંગતા હતા. એવામાં ગોવા તેમની મનપસંદ જગ્યા છે માટે ત્યાં જ લગ્ન કરવાનું વિચારવાનું આવ્યું હતું. જ્યારે મૌની અને સૂરજના લગ્નનું આયોજન ગોવાના હિલ્ટન રિસોર્ટમાં કરવામાં આવ્યું છે. જ્યારે મૌની રોય છેલ્લી વખત ફિલ્મ ‘વેલ્લે’ માં જોવા મળી હતી. તેની અપકમિંગ ફિલ્મ અયાન મુખર્જી ની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ રહેલી છે.