Gujarat

કોરોનાના કહેરને જોત ગુજરાત સરકારે કોરોનાની ગાઈડલાઈનના નિયમોમાં કર્યા ફેરફાર, સ્કૂલો, લગ્ન પ્રસંગ, રાત્રી કર્ફ્યુંને લઈને લીધો આ નિર્ણય

રાજ્યમાં સતત કોરોના કહેર વધી રહ્યો છે. રાજ્યમાં સતત ૪૦૦૦ થી વધુ કેસ સામે આવ્યા છે. જેના કારણે સતત સરકારની ચિંતામાં વધારો થઈ રહ્યો છે. જયારે હવે ગુજરાત માટે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના ગાઈડલાઈનના નિયમો સખ્ત કરવામાં આવ્યા છે. જેમાં સ્કૂલોને સાથે અનેક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે.

રાજય સરકાર દ્વારા સ્કૂલોમાં પ્રાથમિક શિક્ષણ ફરીથી ઓનલાઈન કરવાની જાહેરાત કરી છે. જ્યારે 8 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યૂ લંબાવી દેવામાં આવ્યો છે. ગુજરાતમાં કોરોનાના કેસનો વધારો જોતા નવી SOPમાં રાત્રિ કર્ફ્યૂનો સમય રાત્રીના 10 થી 6 નો કરી દેવામાં આવ્યો છે.તેની સાથે લગ્ન પ્રસંગમાં 400 અથવા બંધ હોલમાં ક્ષમતાના 50 ટકા, પરંતુ 400થી વધુ હોવા જોઈએ નહીં. જ્યારે અંતિમયાત્રામાં 100 લોકોને મંજૂરી અપાઈ છે. આ સિવાય લારી-ગલ્લા, સલૂન, શોપિંગ કોમ્પ્લેક્સ વગેરેને માત્ર 9 વાગ્યા સુધી જ ખુલ્લા રાખવાની પરવાનગી આપવામાં આવી છે.

ણ તેવો જ હાલ જોવા મળી રહ્યો છે. અમદાવાદમાં સતત કોરોનાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. તેની સાથે સુરતમાં પણ હવે કોરોનાનું જોર વધ્યું છે. તે કારણોસર આજે સરકાર દ્વારા રાત્રિ કર્ફ્યૂ સહિતની કોરોનાની નવી ગાઈડલાઈન્સ જાહેર કરવામાં આવેલ છે. રાત્રિ કર્ફ્યૂમાં મોટો ઘટાડો કરાયો છે. તે સિવાય વેપાર-ધંધામાં પણ કેટલાક નવા નિયમો લાગુ કરવામાં આવેલ છે.
નોંધનીય છે કે, હવે વેપાર-ધંધા રાત્રીના 9 વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે. તેની સાથે 8 મહાનગરમાં 9 વાગ્યા સુધી રેસ્ટોરન્ટ ખુલી રાખી શકાશે.

કોરોનાની ગાઈડલાઈન્સ નવા જાહેર કરવામાં આવેલ નિયમો: રાજ્યના 10 શહેરમાં હવે રાતના 10થી 6 વાગ્યા સુધી રાત્રિ કર્ફ્યૂ રહેશે. 31 મી સુધી ધોરણ 1 થી 9 ની સ્કૂલોમાં ઓફ લાઇન શિક્ષણ બંધ રહેશે. દુકાનો 10 વાગ્યા સુધી ખુલી રહી શકશે.રેસ્ટોરન્ટ 75 ટકા કેપેસિટી સાથે 10 વાગ્યા સુધી ખુલ્લા રહી શકશે.

હોમ ડિલિવરી 11 વાગ્યા સુધી ચાલુ રહેશે.લગ્ન અને સામાજિક પ્રસંગોમાં 400 લોકોની મંજૂરી રખાશે.અંતિમક્રિયામાં 100 વ્યક્તિઓને મંજૂરી આપવામાં આવી છે. દુકાનો 9 વાગ્યા સુધી ખુલી રહી શકશે.તમામ સરકારી કચેરીઓ, કોર્પોરેશનો, રાજ્ય કચેરીઓ 50% હાજરી
તમામ ખાનગી ઓફિસોમાં 50% હાજરી છે.શોપિંગ મોલ, કોમ્પ્લેક્સ, સિનેમા હોલમાં 50% ક્ષમતા રાખી શકાશે.ભોજનાલયો, રેસ્ટોરન્ટ્સ, વગેરે રાત્રે 9 વાગ્યા સુધી 50% ક્ષમતા સાથે ચાલુ રાખી શકાશે.