Ajab GajabIndiaInternationalNews

વર્ષો પહેલા 25 રૂપિયાની મગફળી ઉધાર ખરીદી હતી, હવે અમેરિકાથી પરત આવીને આપ્યા 25000 રૂપિયા

વિશ્વમાં માનવતા હજુ પણ જીવંત છે. લોકો ભલે ગમે તેટલા સ્વાર્થી બની ગયા હોય, પરંતુ હજુ પણ એવા લોકો છે જે પ્રામાણિક છે અને વચનો અને મદદ ને હંમેશા યાદ રાખે છે. આવી જ ઘટના અમેરિકાથી પરત ફરેલા એક NRI ભાઈ-બહેનો સાથે બની હતી, જેમણે 12 વર્ષ પહેલાં ખાધેલી મગફળીના પૈસા ઈમાનદારીથી અનેક ગણા પાછા આપ્યા હતા. ઈમાનદારી અને માનવતાની આ વાત સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

આ કિસ્સો 2010નો છે જ્યારે મોહન નામનો એનઆરઆઈ તેના બે બાળકો સાથે આંધ્રપ્રદેશના કોઠાવલ્લી બીચની મુલાકાત લેવા આવ્યો હતો. બાળકોના કહેવા પર તેણે બીચ પર 25 રૂપિયાની મગફળી ખરીદી હતી. પરંતુ તે પાકીટ હોટલમાં જ ભૂલી ગયો હતો અને તેની પાસે મગફળી વેચનારને આપવાના પૈસા ન હતા. ત્યારે સતૈયા નામના આ મગફળીના વ્યક્તિએ ઉદારતા બતાવી અને તેને એમનેમ લઈ જવા કહ્યું. પણ મોહને ઉધાર લેવાનું કહ્યું અને તેણે મગફળી વેચનાર સતૈયા નો ફોટો પણ લીધો.

ત્યારબાદ મોહન બાળકો સાથે અમેરિકા પરત ફર્યો. 11 વર્ષ પછી મોહનના બાળકો નેમાની પ્રણવ અને શુચિતા ફરીથી ભારત આવ્યા અને તેઓએ મગફળી વેચનારની શોધ કરી કારણ કે તેમને ઉધાર ના રૂપિયા પરત આપવાના હતા. પરંતુ મગફળી વેચનાર મળતો ન હતો.ત્યારબાદ તેણે શહેરના ધારાસભ્યની મદદ લીધી, જેમણે તેના ફેસબુક એકાઉન્ટ પર 12 વર્ષ પહેલા લીધેલા સતૈયા નો ફોટો મૂકીને લોકોને મદદ કરવા કહ્યું.

આ રીત કામ કરી ગઈ અને સતૈયાનું ઘર મળી ગયું. અફસોસની વાત એ છે કે સતીયા તો જીવિત હતા નહી પરંતુ તેના પરિવારને સતૈયા ના રૂપિયા મળ્યા. નવાઈની વાત તો એ છે કે મોહનના પુત્રએ 12 વર્ષ પહેલા ઉછીના લીધેલા 25 રૂપિયાના બદલામાં સતૈયાના પરિવારને પૂરા 25 હજાર રૂપિયા આપ્યા હતા. સોશિયલ મીડિયા પર સતૈયા ની ઉદારતા અને મોહનની ઈમાનદારીની ચર્ચા થઈ રહી છે અને લોકો ધારાસભ્યની પોસ્ટ પર કોમેન્ટ પણ કરી રહ્યા છે.