GujaratNorth Gujarat

પાટણ: વિધર્મી યુવકે ચૌધરી સમાજની યુવતી પર હુમલો કરતા ન્યાય માટે મોટી સંખ્યામાં જોડાયા વિવિધ સંગઠનો

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક યુવતી પર વિધર્મી યુવકે ઘરમાં ઘૂસીને હુમલો કર્યો હતો, ત્યારે આ હુમલાનો મોટાપાયે વિરોધ નોંધાયો છે. ચૌધરી સમાજની દિકરી પર હુમલાના કેસમાં ચારેકોર આક્રોશ છવાયેલો છે. આ હુમલાની ઘટનાના વિરોધમાં આજે હિન્દુવાદી સંગઠનો દ્વારા રાધનપુર સજ્જડ બંધ રાખવામાં આવ્યું છે. જો કે આ મામલે રાધનપુરમાં અલગ-અલગ સંગઠનો દ્વારા બંધનું એલાન આપવામાં આવ્યું છે. તેમજ હિન્દુ સમાજ દ્વારા રાધનપુરમાં આજે 11 મૌન રેલીનું આયોજન પણ કરવામાં આવ્યું.

આ હુમલાના વિરોધમાં આજે હજારોની સંખ્યામાં ચૌધરી, ભરવાડ અને ઠાકોર સમાજ એકઠો થઇ ગયો હતો અને રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ વિરોધ દરમિયાન ભરવાડ સમાજ અને અલ્પેશ ઠાકોર સહિત ઠાકોર સમાજના લોકો સહિત 15 હજારથી વધુ લોકો એકઠા થઇ ગયા હતા. ત્યારે હાલમાં કોરોના મહામારી દરમિયાન આટલી મોટી સંખ્યામાં લોકો એકઠાં થઇ જતા અને ભીડ બેકાબુ થતાં પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.

હાલમાં રાધનપુર બંધ મુદ્દે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો છે. જે પાટણ અને રાધનપુર પોલીસને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. જેમાં ડીવાયએસપી પીઆઇ પીએસઆઇ સહિતના પોલીસ કર્મીનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જેથી આ વિરોધમાં કોઈ મોટો બનાવ ન બને.

પ્રાપ્ત વિગતો અનુસાર, આ ઘટનામાં રાધનપુર તાલુકાના શેરગઢ ગામે એક વિધર્મી યુવાને શેરગઢ ગામે યુવતી તેના ઘરમાં કામ કરી રહી હતી ત્યારે તેના ઘરે કોઈ ન હોવાને કારણે એકલતાનો લાભ લઇને બાજુમાં રહેતો વિધર્મી યુવાન યાસીન બલોચ આ દરમિયાન ઘરમાં ઘૂસી આવ્યો હતો અને તેની સાથે બળજબરી કરવા લાગ્યો હતો જો કે આ યુવતીએ બૂમાબૂમ પાડતાં તેને યુવતી ઉપર ધારદાર હથિયાર વડે હુમલો કરી તેને ત્યાંને ત્યાં જ આખી લોહીલુહાણ કરી દીધી હતી.

જોકે આ યુવતીએ બૂમાબૂમ કરતા આસપાસના સ્થાનિકો લોકોએ આ વિધર્મી યુવાનને ઝડપી પાડયો હતો. ત્યારબાદ આ યુવાનને પોલીસને સોપી દીધો હતો. ત્યારે આ યુવતી પર થયેલા હુમલાની ઘટનામાં આરોપીને કડકમાં કડક સજા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી રહી છે. જો કે માહિતી અનુસાર, યુવતીએ લગ્ન માટે ના પાડતા ઉશ્કેરાયેલા યુવકે તેના પર હુમલો કરતા યુવતી ઘાયલ થઈ ગઈ હતી.તો બીજી તરફ ધંધુકામાં ભરવાડ યુવાનની કરાયેલી હત્યાનો મુદ્દો પણ સામે આવી રહ્યો છે. ત્યારે આ બંને ઘટનામાં સંડોવાયેલા આરોપીઓની તાત્કાલિક ઝડપી લઇ અને તેમને વધુ કડકમાં કડક સજા કરવામાં આવે તેવી વિવિધ હિન્દુ સંગઠનો દ્વારા માંગ કરવામાં આવી રહી છે.