સુરત: આ કારણથી બસમાં લાગી હતી આગ, એક મહિલા જીવતી ભડથું થઇ ગઈ હતી
થોડા દિવસ પહેલા સુરતના હીરાબાગ વિસ્તાર ખાતે બસમાં આગ લાગવાની દુર્ઘટના સામે આવી હતી. આ દુર્ઘટનાને લઈને દરેક લોકો બસમાં આગ લાગવાના કારણ વિષે જાણવા માનતા હતા. ત્યારે હવે બસમાં આગ કેમ લાગી હતી તેનું સાચું કારણ બહાર આવી ગયું છે. સુરતના હીરાબાગ વિસ્તાર ખાતે જે બસમાં આગ લાગી હતી તે બસમાં દવાઓ, હાઇડ્રોક્લોરિક એસિડ તેમજ 110 પાર્સલ હતા. ત્યારે FSLએ વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે સૅનેટાઇઝર અને પેરાલિક હાઇડ્રોક્લોરિક એસિડનું મિશ્રણ થઈ જતા ધડાકો થયો હતો. અને બસમાં આગ લાગી હતી. ત્યારે આ આ સમગ્ર મામલે પોલીસ FSL રિપોર્ટની રાહ જોઈ રહી છે. રિપોર્ટ આવતા જ પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરશે.
ઉલ્લેખનીય છે કે, થોડા દિવસ પહેલા સુરતના હીરાબાગ સર્કલ નજીક રાજધાની ટ્રાવેલ્સની GJ04 AT 9963 નંબરની બસ ઉભી રહી હતી. આ બસ માં 12 પેસેન્જરો બેઠેલા હતા. અને આ બસ કતારગામ તરફ જઈ રહી હતી. આ દરમિયાન બસમાં લાગેલ એસીનું કમ્પ્રેસર ફાટી ગયું હતું. જેને કારણે બસમા આગ લાગી હતી. બસમાં આગ લાગતા બસમાં બેઠેલો વિશાલ નવલાની ચાલુ બસમાંથી કૂદયો હતો.
ચાલુ બસમાં બહાર કુદતા વિશાલનો જીવ તો બચી ગયો પરંતુ મોઢાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. જો કે, આ બસ દુર્ઘટનામાં વિશાલની પત્ની તાનીયા નવલાની બસમાંથી બહાર ના કૂદી શકવાના કારણે બસમાં સંપૂર્ણ પણે દાઝી ગઈ હતી અને મૃત્યુ પામી હતી.તમને જણાવી દઈએ કે, સુરતમાં બનેલ બસ દુર્ઘટનાનું સાચું કારણ જાણવા માટે FSLની ટીમને સેમ્પલ લેવા મોકલવામાં આવી હતી. ત્યારે પોલીસ FSL રીપોર્ટની રાહ જોઈ રહી છે. FSLનો રિપોર્ટ આવતા જ પોલીસ ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરશે.