GujaratSouth GujaratSurat

સુરતના સિંગણપોર વિસ્તારની એક બિલ્ડીંગમાં લાગી ભયંકર આગ, 20 બાળકો ફસાયા હતા

સુરત શહેર ફરી એક વખત આગની મોટી ઘટના સામે આવી છે. જેના લીધે અફરાતફરીનો માહોલ સર્જાઈ ગયો હતો. આ આગમાં તેમ છતાં કોઈ જાનહાની સમાચાર સામે આવ્યા નથી પરંતુ આ ભૂલથી બાળકોના જીવ જોખમ મુકાઈ શકતા હતા. તેના લીધે ફરી એક વખત તક્ષશિલાકાંડની યાદ તાજી ગઈ છે કેમકે તે દરમિયાન અનેક બાળકોના જીવ ગયા હતા. જેના લીધે સમગ્ર ગુજરાતમાં ગમગીન વાતવારણ સર્જાઈ ગયું હતું.

સુરતના સિંગણપોર વિસ્તારમાં આવેલી એક બિલ્ડીંગમાં આજે મોટી આગની દુર્ઘટના ઘટી હોવાનું સામે આવ્યું હતું. જ્યારે આ આગ લાગી ત્યારે આ બિલ્ડીંગમાં 20 થી વધુ બાળકો ફસાયા હોવાની જાણકારી સામે આવી હતી. તેમ છતાં આ બાળકોને તાત્કાલિક ધોરણે રેસ્ક્યુ કરી લેવામાં આવ્યા હતા. જેના લીધે કોઈ જાનહાની સર્જાઈ નહોતી. જ્યારે આ ઘટનાની જાણકારી મળતા જ ફાયર બ્રિગેડની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી આવી હતી.

તેમના દ્વારા તમામ લોકોની સાથે બાળકોનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ દુર્ઘટના સુરતના ડભોલીમાં એમ સ્કેવર બિલ્ડિંગમાં થઈ હતી. જેમાં બિલ્ડિંગના બીજા માળે આગ લાગતા તેમાં 20 બાળકો ફસાઈ ગયા હતા. તેમ છતાં તેમને તાત્કાલિક ત્યાંથી બહાર કાઢી લેવાયા હતા.આ ઘટનાની વાત કરવામાં આવે તો સુરતમાં ડિવાઈન સેન્ટર નામના કોમ્પલેક્સ બિલ્ડીંગના બેઝમેન્ટમાં આગ લાગી હતી. જેના લીધે ધુમાડો ઉપર સુધી પહોંચી આવ્યો હતો. જેના લીધે બાળકો દ્વારા બુમાબુમ પાડવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. તેમ છતાં ફાયર બિગ્રેડની ટીમ દ્વારા ચતુરતા વાપરતા બાળકોના જીવ બચાવી લીધા હતા.