તમે ઉત્તરાયણના શોખીન છો તો આ સમાચાર જરૂર વાંચો, ઉત્તરાયણના દિવસે આવી રહેશે વરસાદ
ગુજરાતીનો પ્રિય તહેવાર ઉત્તરાયણ હવે થોડા દિવસોમાં આવવાનો છે. તેને લઈને લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પરંતુ આ વખતે સારા અને ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. કેમકે ઉત્તરાયણના દિવસને લઈને અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે.અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે કે, રાજ્યમાં 16 થી 19 જાન્યુઆરી હવામાનમાં પલટો જોવા મળશે.
જ્યારે આ સમાચાર પતંગના શોખીન માટે સારા સમાચાર છે કેમ કે ઉત્તરાયણના દિવસે પવનની ઝડપ વધુ જોવા મળશે. ઉત્તરાયણના દિવસે પ્રતિ કલાકે ૧૦ થી ૧૫ કિલોમીટરથી પવન ફુકવાની આગાહી કરવામાં આવી છે.તેની સાથે આમદાવાદમાં આજે પ્રતિ કલાક 11 કિલોમીટરની ઝડપથી પવન ફૂંકાવાનું શરુ થઈ ગયું છે. અત્યારે ઉત્તર પૂર્વના પવન ફૂંકાઈ રહ્યાં છે. જ્યારે આગામી 24 કલાક લઘુત્તમ તાપમાન યથાવત રહેવાનું છે. તેની સાથે રાજ્યભરમાં કડકડતી ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે.
જ્યારે 6 શહેરો લઘુત્તમ તાપમાનની વાત કરીએ તેમાં સૌથી વધુ 5.4 ડિગ્રી તાપમાન સાથે નલિયામાં નોંધાયું છે. જ્યારે ડીસા અને રાજકોટ 9 ડિગ્રી, વડોદરા 9.4 ડિગ્રી, અમરેલી-જૂનાગઢ 9.6 ડિગ્રી, ભુજ 9.8 ડિગ્રી, અમદાવાદ 10.1 ડિગ્રી રહ્યું હતું.તેની સાથે કમોસમી વરસાદની આગાહી મુજબ જાન્યુઆરી મહિનામાં બીજી વખત માવઠાની શક્યતા રહેલી છે. અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, 16 થી 19 જાન્યુઆરીની વચ્ચે ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે. આ દિવસોમાં ઠંડી પણ વધશે. જ્યારે જાન્યુઆરી મહિનાના અંતમાં 25 થી 29 જાન્યુઆરી સુધી પણ હવામાનનો પલટો જોવા મળશે.