રાજયમાં છેલ્લા થોડા દિવસોથી સતત દુષ્કર્મની ઘટનાઓમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે આજે વલસાડ જીલ્લાથી સામૂહિક દુષ્કર્મની ઘટના સામે આવી છે. જેમાં એક મહિલા પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું આવ્યું છે. જેના લીધે આ ઘટનાએ ચકચાર મચાવ્યો છે.પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, વલસાડ જિલ્લાના ભિલાડમાં એક મહિલાના અપહરણ બાદ તેના પર સામૂહિક દુષ્કર્મ આચરવામાં આવ્યું છે. ઘટનાની જાણ થતા જ પોલીસની ટીમ પણ ઘટના સ્થળે દોડી આવી પહોંચી હતી.
આ બાબતમાં ફરિયાદ દાખલ કરવામાં આવતા જ વલસાડ જિલ્લાના પીઆઇ પીએસઆઇ અને પોલીસ કોન્સ્ટેબલ મળીને 100 થી વધુ પોલીસની ટીમ પીડિત મહિલાને અપહરકર્તાઓથી છોડાવવા માટે અડધી રાત્રીના દોડતી થઈ ગઈ હતી. અંતે વલસાડ જિલ્લા પોલીસની પોલીસ ટીમને સફળતા મળી ગઈ અને માત્ર ૧૨ કલાકમાં મહિલા પર અપહરણ કરી સામૂહિક દુષ્કર્મ આચરનાર ત્રણે આરોપીને ઝડપી પાડ્યા હતા. પોલીસ દ્વારા ત્રણે આરોપી પર સામૂહિક દુષ્કર્મ ગુનો દાખલ કરી તેમના સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
નોંધનીય છે કે, વલસાડના સરીગામમાં રહેનાર એક વ્યક્તિ તેની ભાભીની તબિયત ખરાબ થતા તેને લઈને કારમાં બેસાડી દવાખાને લઈને જઈ રહ્યો હતો. તે સમયે સરીગામ નહેર વિસ્તાર આવ્યો હતો તેને ખૂબ માથેભારે માનવામાં આવે છે. જ્યારે ત્યાંથી નીકળતા કંઇક આવું જ બન્યું હતું. આ વિસ્તારમાં વલસાડના સરીગામમાં રહેનાર એક વ્યક્તિને જવું ભારે પડ્યું હતું કે, કેમકે તે દરમિયાન સુનીલ વારલી, રાહુલ કામલે અને સૂરજ ઝા અચાનક ત્યાં આવી અને કારને રોકી અને ફરિયાદીને બહાર કાઢી તેને ઢોરમાર મારવામાં આવ્યો હતો.
તેના પછી આ અપરાધીથી ત્યાંથી પણ રોકાયા નહોતા અને કારમાં બેઠેલા ફરિયાદીની ભાભીને બળજબરીપૂર્વક કારમાં જ અપહરણ કરી ઘટનાસ્થળથી નાસી ગયા હતા. ત્યાર બાદ ફરિયાદી દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા વલસાડ જિલ્લાના એલ.સી.બી, એસ.ઓ.જી, ભીલાડ પોલીસ સ્ટેશન અને ઉમરગામ પોલીસ સ્ટેશન સહિત વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓની ટીમ આરોપીઓને પકડવામાં લાગી ગઈ હતી. આ ટીમ દ્વારા માત્ર ૧૨ કલાકમાં જ આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા હતા.
જયારે આરોપીઓની ધરપકડ કર્યા બાદ પીડિતા અને આરોપીઓનો મેડિકલ ટેસ્ટ કરાવવામાં આવ્યો હતો. અંતે પીડિતાનો મેડિકલ રિપોર્ટ બહાર આવતા જ પોલીસ પણ હેરાન થઈ ગઈ હતી. કેમકે આ આરોપીઓ એ પીડિતા સાથે સામૂહિક દુષ્કર્મ પણ આચર્યું હોવાની સામે આવ્યું હતું. આ કારણોસર પોલીસ દ્વારા આરોપીઓથી પૂછપરછ કરવામાં આરોપીઓએ પોતાનો ગુનાનો સ્વીકાર કરી લીધો હતો. તેમાં જાણવા મળ્યું છે કે, મહિલા અનૈતિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હોવાની શંકાને કારણે આરોપીઓ દ્વારા તેની સાથે બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું.