Corona VirusGujaratSaurashtra

લોકડાઉન: જામનગર ભાજપના પૂર્વ ધારાસભ્યની 24 વર્ષીય પુત્રીએ આપઘાત કર્યો, કારણ જાણીને ચોંકી જશો

કોરોના મહામારી ને કારણે હાલ ભારત સહીત અનેક દેશમાં લોકડાઉન ની પરિસ્થિતિ છે ત્યારે જામનગરથી એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે.કાલાવડના ભાજપના પૂર્વ ધારાસભ્યની પુત્રીએ ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. પૂર્વ ધારાસભ્ય મેઘજી ચાવડાની પુત્રી રિદ્ધિએ આપઘાત કર્યાના સમાચાર સામે આવ્યા છે. આપઘાત પાછળ લોકડાઉન ને જવાબદાર ગણ્યું છે.


રિદ્ધિ ચાવડા એ એન્જિનિયરિંગના અભ્યાસ માટે કેનેડા જવાનું નક્કી કર્યું હતુ પણ કોરોના ને કારણે લોકડાઉન થતા તે અટકી ગયું હતું અને આપઘાત કરી લીધો હતો.24 વર્ષીય રિદ્ધિએ બુધવારે સાંજે ધ્રોલમાં પોતાના ઘરે ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. રિદ્ધિ અભ્યાસ માટે કેનેડા જવાની હતી. ઘટના અંગે મેઘજી ચાવડાએ ધ્રોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.

મેઘજી ચાવડાએ ફરિયાદમાં જણાવ્યું છે કે દીકરી રિદ્ધિએ એન્જિનિયરિંગનો અભ્યાસ પૂર્ણ કર્યો છે અને ઉચ્ચ અભ્યાસ માટે કેનેડા જવાનું નક્કી કર્યું હતું.જેના માટે ફી પણ ભરાઈ ગઈ હતી. પણ કોરોના ને કારણે ફ્લાઇટ બંધ થતા તે જઈ શકી ન હતી.આ સ્થિતિમાં તે કેનેડા ક્યારે જવાશે તેની ચિંતામાં રહેતી હતી અને દુપટ્ટા વડે ગળેફાંસો ખાઈને આપઘાત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે કોરોના મહામારી ને લઈને દેશવ્યાપી લોકડાઉન સાથે ઇન્ટરનેશનલ અને ડોમેસ્ટિક ફ્લાઇટ બંધ કરી દેવાઈ છે જેથી વિદેશથી આવતા અને વિદેશ જતા લોકો અટવાઈ ગયા છે.