India

આ 30 શહેરોમાં હજી પણ સખ્ત રહી શકે છે લોકડાઉન,ગુજરાતના આ શેહેરો પણ છે એમાં સામેલ..

દેશમાંદેશમાં કોરોનાનો કહેર ઓછો થવાનું નામ નથી લેતો . દરરોજ 3000 થી વધુ કેસ આવી રહ્યા છે. આ વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને, લોકડાઉન-4 માં 30 જિલ્લાઓ અને મ્યુનિસિપલ વિસ્તારોમાં કોઈ વધારે રાહત નાં મળે એવો અણસાર લાગી રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે આ જિલ્લાઓની સમીક્ષા કરવા વરિષ્ઠ અધિકારીઓ અને જિલ્લા મેજિસ્ટ્રેટ્સ સાથે બેઠક યોજી હતી.

સૂત્રો ના કહેવા મુજબ આ જિલ્લાઓમાં લોકડાઉનના ચોથા તબક્કામાં પણ કોઈ રાહત આપવામાં આવશે નહીં. કારણ કે, સરકારે કોરોના હોટસ્પોટ વિસ્તારો માટે જે માર્ગદર્શિકા તૈયાર કરી છે, તેમાં ભારે ચેપવાળા વિસ્તારોમાં આ રોગચાળાને રોકવા માટે કડક નિયમોની જોગવાઈ કરવામાં આવી છે.

આ 30 નગરપાલિકા વિસ્તારોમાં દિલ્હી, મહારાષ્ટ્ર, તામિલનાડુ, ગુજરાત, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, તેલંગાણા, આંધ્રપ્રદેશ, પંજાબ અને ઓડિશા રાજ્યોનો સમાવેશ થાય છે. મીટિંગ દરમિયાન જિલ્લાઓમાં કોરોનાની હાલની પરિસ્થિતિનો હિસાબ તૈયાર કરવામાં આવ્યો હતો જેમાં ચેપ પુષ્ટિ દર, જીવલેણ દર, ડબલિંગ રેટ, દસ લાખ દીઠ પરીક્ષણ વગેરે જેવા તથ્યો પર વધારે ભાર મુકવામાં આવ્યો. અહીં જાણો કે આ રાજ્યોમાં કયા 30 શહેરો શામેલ છે.

તમિલનાડુ રાજ્યમાં કુડ્લોર, ચેંગલપટ્ટુ, એરિયલુર, વિલ્લુપુરમ, તિરુવલ્લુર અને ગ્રેટર ચેન્નાઈ. મહારાષ્ટ્ર રાજ્યમાં મુંબઇ, ઓરંગાબાદ, પુણે, પાલઘર, સોલાપુર, નાસિક અને થાણે. ગુજરાત રાજ્યમાં અમદાવાદ, વડોદરા અને સુરત, દિલ્હીમાં મોટા ભાગના વિસ્તારો.મધ્ય પ્રદેશ રાજ્યમાં ભોપાલ અને ઈન્દોર.

પશ્ચિમ બંગાળ રાજ્યમાં હાવડા અને કોલકાતા. રાજસ્થાન રાજ્યમાં જયપુર, જોધપુર, ઉદયપુર. ઉત્તર પ્રદેશ રાજ્યમાં આગ્રા અને મેરઠ.આંધ્રપ્રદેશરાજ્યમાં કુર્નુલ.તેલંગાણા રાજ્યમાં ગ્રેટર હૈદરાબાદ.પંજાબ રાજ્યમાં અમૃતસર.ઓડિશા રાજ્યમાં બરહામપુર જેવા શહેરોનો સમાવેશ થાય છે.

તમને જણાવી દઈએ કે કોરોના વાયરસથી સંક્રમિત દર્દીઓની સંખ્યા દેશભરમાં સતત વધી રહી છે. કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જાહેર કરેલા આંકડા મુજબ, દેશભરમાં કોરોના પોઝિટિવ કેસની કુલ સંખ્યા 85,940 ​​પર પહોંચી ગઈ છે, જેમાંથી, 53035 સક્રિય છે. 30153લોકો સ્વસ્થ થયા છે અથવા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે અને 2752 લોકો અવસાન થયેલ છે.