Ajab GajabInternational

લગ્ન પહેલા જ ગર્ભવતી થઇ અને બાળકીઓની માતા બની હતી પછી થયા લગ્ન અને અચાનક,

આજે અમે તમને બૉલીવુડની અભિનેત્રી સારિકા વિશેની ખાસ વાતો જણાવીશું. સારિકાનું નામ સારિકા ઠાકુર છે. પણ જીવનમાં પરિવાર અને પ્રેમે તેને એવા રસ્તે લાવીને ઉભી કરી દીધી કે તે હવે ફક્ત સારિકા બનીને રહી ગઈ હતી. સારિકા એ બૉલીવુડની એક ફેમસ ચાઈલ્ડ આર્ટિસ્ટ માનવામાં આવે છે. તેમણે બાળ કલાકાર અને હિરોઈન તરીકે પણ કામ કરેલ હતું અને તેમાં તેમને સફળતા પણ મળી હતી. પણ તેમના પર્સનલ જીવનમાં તેમને ઘણુંબધું સહન કરવું પડ્યું હતું.

સારિકા ક્યારેય પોતાના બાળપણના દિવસોને યાદ કરવા માંગતી નથી. જ્યારે તે નાની હતી ત્યારે તેના પિતા તેની માતાથી અલગ થઈ ગયા હતા. સારિકા પૈસા માટે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં આવી હતી. તેની માતા તેને માત્ર પૈસા માટે કામ કરાવતી હતી. માતા તેના પતિથી અલગ થઈ ગઈ હતી, પરંતુ તેની પુત્રી માટેનો પ્રેમ તેના હૃદયમાં પ્રતિબિંબિત થતો નહોતો.સારિકાની માતા તેની સાથે ખૂબ જ ખરાબ વર્તન કરતી હતી. એકવાર સારાને તેના કામ માટે 1500 રૂપિયા મળ્યા, જેના માટે તેણે એક પુસ્તક ખરીદ્યું. જ્યારે તેની માતાને આ વાતની જાણ થઈ તો તેણે તેને ખૂબ માર માર્યો.

સારિકાથી માતાનો આ વ્યવહાર સહન થતો નથી આછી એક દિવસ તેની સહનશક્તિની હદ થઇ ગઈ. પછી જયારે બાલ કલાકાર તરીકે તેમણે કામ કર્યું તો તેઓને ખુબ પૈસા કમાયા અને એ પૈસાથી તેમણે 5 એપાર્ટમેન્ટ ખરીદ્યા પણ પછી તેમને ખબર પડે છે કે એકપણ એપાર્ટમેન્ટ તેમના નામ પર છે નહિ. ત્યારે સારિકાના હોશ ઉડી ગયા. આ સમયે પછી તેમના જીવનમાં કમલ હસન આવે છે.

જ્યારે કમલ સારિકાના જીવનમાં આવ્યો ત્યારે તે ભાંગી પડી હતી. તેને કમલનો સહારો મળ્યો અને તે ખીલવા લાગી.સારિકા કંઈપણ વિચાર્યા વગર તેની સાથે રહેવા લાગી. તેણે ફિલ્મો કરવાનું છોડી દીધું અને ચેન્નાઈ શિફ્ટ થઈ ગઈ. સારિકાનું કરિયર ઘણું ઉપર જઈ રહ્યું હતું, પરંતુ નાનપણથી જ તે પ્રેમની ઝંખના કરતી હતી, હવે તેને કરિયર નહીં પણ માત્ર પ્રેમ જોઈતો હતો.

તે જ સમયે, કમલ હાસનનો તેની પ્રથમ પત્નીથી છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો હતો. કમલે ખુલ્લેઆમ કહ્યું હતું કે જ્યારે તેણે તેની પત્ની વાણીને છૂટાછેડા આપ્યા ત્યારે તેણે વળતરમાં એટલા પૈસા ચૂકવવા પડ્યા હતા કે તેની પાસે કંઈ જ બચ્યું ન હતું. આવી સ્થિતિમાં સારિકા તેના જીવનમાં આવ્યા પછી પણ તે લગ્ન માટે તૈયાર ન હતી.

જયારે સારિકા અને કમલ લિવ-ઈનમાં રહેવાનું નક્કી કરે છે તો દેશમાં આવા સંબંધને સ્વીકૃતિ મળતી નથી. એ સમયે લગ્ન વગર સાથે રહેવું એ બહુ ખરાબ માનવામાં આવતું હતું. સારિકા અને કમલ કોઈપણ હોટલમાં જતા ત્યારે તેમને અલગ અલગ રૂમમાં રહેવું પડતું હતું કેમ કે તેમણે લગ્ન કરેલા હતા નહિ. એટલે સુધી કે તે બે દીકરીઓની માતા પણ બની પણ તેમ છતાં પરિસ્થિતિ એ ની એ જ રહે છે.

સારિકા એક સફળ ફિલ્મ અભિનેત્રી હતી અને કમાલ સાથે લિવ ઇનમાં રહેતી હતી. આ દરમિયાન તે ગર્ભવતી બની હતી. એક અભિનેત્રી માટે પણ લગ્ન વિના પ્રેગ્નેન્ટ હોવું એ મોટી વાત હતી. લોકો તેમના વિશે અલગ અલગ રીતે વાતો કરતા હતા. જોકે, બંનેએ લાંબા સમય સુધી લગ્ન કર્યા ન હતા. તે જ સમયે, જ્યારે તેમને લાગ્યું કે હવે તેઓએ લગ્ન કરી લેવા જોઈએ, ત્યારે બંનેએ 1988 માં સાત ફેરા લીધા.

જોકે, લગ્ન કર્યા પછી સારિકાને સમજાયું કે આ સંબંધ લાંબો સમય ટકવાનો નથી. થોડા વર્ષો પછી સંબંધોમાં ખટાશ આવવા લાગી. પછી કમલને સારિકાની હકની ગૌતમી સાથે પ્રેમ થઈ ગયો. ગૌતમીએ એક બિઝનેસમેન સાથે લવ મેરેજ કર્યા હતા. જો કે, તેમના છૂટાછેડા થઈ ગયા અને ગૌતમીને એક પુત્રી છે. તેના મિત્રને મદદ કરવા સારિકા તેને તેના ઘરે લઈ આવી. અહીંથી સારિકા અને કમલના સંબંધો બગડ્યા અને કમલ ગૌતમી તરફ ખેંચાયો.