Gujarat

યુવરાજસિંહનો વધુ એક ધડાકો: ઉર્જા વિભાગ ભરતી કૌભાંડ મામલે આધાર-પુરાવા સાથે નામ કર્યા જાહેર

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી સરકારી ભરતીમાં ગેરકાયદેસર વચોટિયાઓને પૈસા લઈને ભરતી કરવામાં આવી રહી હોવાનું સામે આવ્યું છે જેને લઈને પુરાવા સાથે કૌભાંડ સામે આવ્યું છે, જેને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને ખુલાસો કર્યો હતો અને આ આરોપીઓન તેમને નામ સાથે પણ જણાવ્યું હતું, ત્યારે આજે વધુ એક બ ભરતી કૌભાંડને લઈને વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોટો ખુલાસો કર્યો છે. યુવરાજસિંહે આજે ઉર્જા વિભાગની ભરતીને લઈને મોટો ખુલાસો કર્યો છે.

જો કે વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ આજે પ્રેસ કોન્ફરન્સ કરીને વધુ આરોપીઓના નામ જાહેર કર્યા છે. યુવરાજસિંહે જણાવ્યું છે કે, દિલીપ પટેલ, અરવિંદ પટેલ નામના વ્યક્તિઓ મુખ્ય કૌંભાડી છે અને તેમણે પોતાના પરિવારના 45 લોકોને ખોટી રીતે ઓળખાણથી તેમને આ નોકરી અપાવી દીધી છે. કૌભાંડ વિશે યુવરાજસિંહ જાડેજાએ વધુમાં જણાવ્યું હતું કે, નોકરી અપાવવા માટે પરિવારવાદ, ઓળખાણવાદ અને પોતાના લોકોને નોકરી મળી જાય તે માટેના આ કૌભાંડ કરવામાં આવી રહ્યા છે.

જો કે આ પરિવારના 45 ખોટી રીતે ભરતી થયેલા લોકો હાલમાં પણ ફરજ પર હોવાનું જણાવ્યું છે. અને આ અંગે યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું છે કે આ તમામ લોકોના આધાર-પુરાવા અમારી પાસે છે. આ મામલે હેડક્લાર્કનો આરોપી પિનાકીન પણ સંડોવાયેલો હોવાનું જણાવ્યું છે. ત્યારે આ સમગ્ર મામલે યુવરાજસિંહ જાડેજાએ ગૃહમંત્રી અને મુખ્યમંત્રીને આરોપીઓની સંપત્તિ જપ્ત કરવા અને SIT સમિતિ રચી તપાસ કરવા અને આ ઉપરાંત સાથે સાથે સીબીઆઈ તપાસની પણ માંગ કરી છે.

આ ઊર્જાવિભાગની ભરતી કૌભાંડમાં મૂળ વ્યક્તિ દિલીપ ડાહ્યા પટેલ, ગળતેશ્વર, ઈટાળા પ્રાથમિક શાળાના શિક્ષક જેમના ત્રણ લોકોનો સમાવેશ હોવાનું આધાર-પુરાવા સાથે જણાવ્યું છે. જેમાં દિલીપ પટેલના ભાઈ વિજય પટેલ પણ છે. જે ધર્મેન્દ્ર પટેલ, બાયડમાં રહે છે, અને તેઓ વચેટિયા છે. વિજય પટેલ, સ્વેત પટેલ પણ વચેટિયા છે.

એક જ પરિવારના લોકો GEBમાં નોકરી રહ્યા છે. જેમને 16 લાખ રૂપિયામાં નોકરી અપાવવામાં આવી છે. જેના અમારી પાસે તમામ પુરાવા છે.નોંધનીય છે કે, યુવરાજસિંહે આ અગાઉ પ્રેસ કોન્ફરન્સ કરીને ઊર્જા વિભાગ દ્વારા કરવામાં આવેલ ભરતીમાં UGVCL, PGVCL, MGVCL, DGVCL એમ કુલ 5 વિભાગમાં ગેરરીતિ થઈ હોવાનું જણાવ્યું હતું.