વિદેશ જવાની ઘેલછા ગુજરાતી પરિવારને પડી ભારે, થઇ આવી હાલત
ગુજરાતીઓ વિદેશ જવા અને એમાં પણ ખાસ કરીને અમેરિકા જવા માટે ઘણી વખત ગાંડપણ પર ઉતરી આવતા હોય છે. ત્યારે આવાજ ગાંડપણને લઈને ચાર ભારતીયોએ પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે. ત્યારે વિદેશમંત્રી એસ. જયશંકરે પણ આ ઘટનાની નોંધ લીધી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, ગુજરાતના કલોલ તાલુકાના એક જ પરિવારના ચાર લોકો ગેરકાયદેસર રીતે અમેરિકામાં પ્રવેશ કરવા જઈ રહ્યા હતા. અને આ પરિવારને અમેરિકા મોકલવા માટે કલોલના જ એક એજન્ટ અને તેના સાથીએ મહત્વની ભૂમિમાં ભજવી હતી. ત્યારે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે કલોલ ખાતે પહોંચીને સમગ્ર મામલે વધુ તલાશ હાથ ધરી છે.
આ મામલે મેનિટોબા પોલીસના જણાવ્યા અનુસાર, બુધવારના રોજ ચાર લોકોના મૃતદેહ મળી આવ્યા હતા. જેમાં 2 મોટી ઉંમરના અને એક બાળક અને એક કિશોર છે. આ મૃતદેહ દક્ષિણ મધ્ય મેનિટોબાના એમસર્ન વિસ્તારમાંથી મળી આવ્યા હતા. આ પરિવારે માઇનસ 35 ડીગ્રી સેલ્સિયસ તાપમાનમાં અમેરિકા-કેનેડાની સરહદ પાર કરી હતી. ત્યારે વધુ પડતી ઠંડીને કારણે આ પરિવારના ચારેય લોકોનું મૃત્યુ થયું છે.