જ્યારે બાળકને મૃત માનીને ભાગી ગયા માતા પિતા, ડોકટરોએ બચાવ્યો જીવ, વિડીયો બનાવીને મોકલ્યો પિતાને
મળતી માહિતી મુજબ સિકંદરાં પોલીસ સ્ટેશનના એરિયામાં સીનર્જી પ્લસ હોસ્પિટલમાં ઇટાવાના જૈનઈ ગામના નિવાસી રણજીત સિંહ પોતાના 6 મહિનાના બાળકને લઈને હોસ્પિટલ પહોંચે છે. બાળકને તાવ, ઊલટી અને જાડા સાથે લોહી આવવાની તકલીફ હતી. તેના લીધે દવાખાનમાં બાળકની સારવાર ચાલી રહી હતી.
હોસ્પિટલના ડૉક્ટર રણવીર ત્યાગીના જણાવ્યા અનુસાર, 20 જાન્યુઆરીએ જ્યારે બાળકની હાલત ખરાબ થઈ ત્યારે તેને વેન્ટિલેટર પર રાખવામાં આવી રહ્યો હતો. પરંતુ આ દરમિયાન બાળકના પરિવારજનો અને સગા-સંબંધીઓ તેને મૃત સમજીને બપોરના સમયે જાણ કર્યા વિના હોસ્પિટલ છોડી ગયા હતા. જ્યારે શુક્રવારે સવાર સુધી બાળકના પરિવારજનોનો કોઈ સંપર્ક થયો ન હતો ત્યારે હોસ્પિટલ પ્રશાસને બાળકના જીવિત હોવાનો વીડિયો બનાવી તેના પિતાના મોબાઈલ પર મોકલી આપ્યો હતો. બીજી તરફ તેણે સિકંદરા પોલીસને પણ બાળક જીવિત હોવાની જાણ કરી હતી.
બાળકના જીવતા હોવાનો વિડીયો જોઈને પરિવારના લોકો દવાખાને પહોંચે છે. બાળકના પિતા રણજીતનું કહેવું હતું કે લગ્નના 10 વર્ષ પછી તેમને પહેલો દીકરો થયો હતો. તેની તબિયત બગડી એટલે તેને દવાખાન લઈને આવે છે. અહિયાં ડોકટરોએ તેને વેન્ટિલેટર પર રાખ્યો હતો. તેઓ ગભરાઈ ગયા હતા કે વેન્ટિલેટર પર ખર્ચ વધુ થશે અને તેમની પાસે પૈસા હતા નહીં.
જે બાદ તે બાળકને મૃત માનીને ત્યાંથી પાછો ગયો હતો. તેણે જણાવ્યું કે જ્યારે તેણે હોસ્પિટલ દ્વારા બનાવેલો વીડિયો જોયો. ત્યારબાદ તે હોસ્પિટલ પહોંચ્યો અને હવે સૈફઈ તેના બાળક સાથે સારવાર માટે જઈ રહ્યો છે. આ મામલામાં સૌથી મોટી વાત એ છે કે રણજીતની આર્થિક સ્થિતિને જોતા હોસ્પિટલ પ્રશાસન દ્વારા તેની પાસેથી કોઈ પૈસા લેવામાં આવ્યા નથી.