ધંધુકા ફાયરિંગ કેસમાં ગુજરાત ATS ટીમની મોટી કાયર્વાહી, વધુ એક મૌલવીની કરવામાં આવી અટકાયત
ધંધુકા ફાયરિંગની ઘટનામાં માલધારી સમાજના યુવક કિશન બોળીયા હત્યાનો મામલો હાલ ચર્ચાનો વિષય બનેલો છે. આ હત્યાના કેસમાં પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. જ્યારે આ હત્યામાં દરરોજ નવી-નવી જાણકારી સામે આવી રહી છે. એવામાં આ મામલામાં પોલીસ દ્વારા વધુ એક કામગીરી હાથ ધરવામાં આવી છે.
ધંધુકાના યુવક કિશન બોળીયાની હત્યામાં વધુ જાણકારી સામે આવી છે. જેમાં એક મૌલવીની અટકાયત કરવામાં આવી છે. પ્રાપ્ત માહિતી મુજબ જાણવા મળ્યું છે કે, ગુજરાત એટીએસની ટીમ દ્વારા દિલ્હીથી મૌલાનાની અટકાયત કરાઈ છે. જ્યારે દિલ્હીથી ગુજરાત તેને લાવવામાં આવી રહ્યો છે. તેની સાથે આ યુવકની હત્યા બાદ ધંધુકા સજ્જડ બંધ છે.
જ્યારે આ કેસમાં મૂળ ઉત્તરપ્રદેશના મૌલવીનો હાથ હોવાનું સામે આવ્યું હતું. આ કારણોસર ગુજરાત ATS ની ટીમ મધરાત્રીના દિલ્હી પહોંચી ગઈ અને મૌલવીની ધરપકડ કરી લીધી હતી. દિલ્હીના મૌલવી કમરગની ઉસ્માનીને ATS ની ટીમ દ્વરા ગુજરાતમાં લાવવામાં આવી રહ્યો છે. મૌલવી કમરગની ઉસ્માનીની વાત કરવામાં આવે તો તે કમરગની તહેરીક-એ-ફરોગ-ઇસ્લામી નામનું સંગઠનના સ્થાપક રહેલા છે. જ્યારે ત્રિપુરામાં નવેમ્બરમાં થયેલા રમખાણોમાં પણ આ મૌલાનાનું નામ સામે આવ્યું હતું જેના લીધે તેને 21 દિવસ જેલમા રહેવાનો વારો પણ આવ્યો હતો.
આ મૌલાના પોતાના ભડકાવ ભાષણ માટે જાણીતો છે. તે ધર્મના નામે યુવાનોને ઉશ્કેરવાનું કામ કરે છે. જ્યારે હજુ પણ આ તપાસમાં અનેક લોકોના નામ સામે આવી શકે છે. એ બાબતમાં પોલીસ દ્વારા સતત તપાસ કરવામાં આવી રહી છે. નોંધનીય છે કે, ગઈ કાલે પોલીસને સર મુબારક ની દરગાહ પાછળથી એક પિસ્તોલ મળી હોવાની જાણકારી સામે આવી હતી. જ્યારે પોલીસ દ્વારા આ ઘટનામાં ઉપયોગ થયેલ હથિયાર અને બાઈક જપ્ત કરવાની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. દરગાહની પાછળ રહેલા ખુલ્લા મેદાનમાં પિસ્તોલ મળી આવી હતી.
તેની સાથે આ ઘટના કનેક્શન પાકિસ્તાન સાથે જોડાઈ ગયા છે. પાકિસ્તાનમાં તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠન દ્વારા હત્યા ની જવાબદારી લેવામાં આવી હોવાનું સામે આવ્યું છે. જ્યારે તહેરિક-એ-નમુસે-રીસાલત નામના સંગઠન નો સંબંધ પાકિસ્તાનની રાજકીય પાર્ટી સાથે હોવાનું જાણવા મળ્યું છે. તહેરિક-એ-લબ્બેકનો નેતા ખાદીમ રિઝવી છે. તેની સાથે તે પણ જાણવા મળ્યું છે કે, ખાદીમ રિઝવી રાજકીય હત્યાઓ કરાવવાના અજેન્ડા પર કામ કરે છે.
જ્યારે ધંધુકાના યુવકની હત્યા કરવા માટે મોટું કાવતરું ઘડવામાં આવ્યું હતું. આ ઘટનામાં એ પણ જાણવા મળ્યું છે કે, આરોપીઓ દ્વારા પાકિસ્તાન સંગઠન પર ભડકાઉ ભાષણો સાંભળ્યા બાદ અમદાવાદ અને મુંબઈના મૌલાનાઓની વચ્ચે તેની હત્યાના સંદર્ભમાં હત્યા કરવાનો પ્લાન ઘડવામાં આવ્યો હતો. જ્યારે હવે આ મામલામાં ATS દ્વારા આરોપીઓના પાકિસ્તાન કનેક્શન શોધવા માટે અલગ ટીમ બનાવવામાં આવી છે.