GujaratRajkotSaurashtra

રાજકોટ પોલીસ કથિત વસુલીકાંડ: ખાખી સામેની ખાખીની તપાસમાં થયો વધુ એક મોટો ખુલાસો

રાજકોટ પોલીસ કમિશનર કમિશન મુદ્દે વિવાદ વધુ ગંભીર બનતો જઈ રહ્યો છે. રાજકોટમાં પોલીસ કથિત કમિશનકાંડના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં વધુ એક મોટો ખુલાસો થયું હોવાનું સામે આવ્યું છે કે આ કેસમાં દરરોજ નવા નવા ફણગાઓ સામે આવી રહ્યા છે. જે રાજકોટ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ વિરૂદ્ધ ધારાસભ્ય ગોવિંદ પટેલે ફોડેલા તોડકાંડ લેટર બોમ્બ પછી પોલીસનાં હવાલાકાંડનાં દરરોજ નવા કેસ સામે આવી રહ્યા છે. ત્યારે આ કેસમાં હવે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ પીઆઇ વી.કે.ગઢવીના રાઇટર યોગીરાજસિંહ જાડેજાની પણ સંડોવણી હોવાનું કિશન સખીયાએ તેના નિવેદનમાં જણાવ્યું છે.

આ ઉપરાંત કિશન સખીયાએ પોતાના નિવેદનમાં કહ્યુ છે કે, 2 જુલાઈના રોજ પોલીસ કમિશરની કચેરીના પાર્કિંગમાં PSI સુમરા સાખરાએ 50 લાખ રૂપિયા લીધા હતા. જયારે બાકીના અન્ય 25 લાખ રૂપિયા 17 ઓગષ્ટના રોજ ક્રાઇમ બ્રાન્ચ પીઆઈ ગઢવીના રાઇટર યોગીરાજસિંહ જાડેજાએ લીધા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે. જે PI વી.કે ગઢવી સાથે PSI જાડેજાનું નામ સામે આવ્યું છે.

જો કે આ ફરિયાદી કિશન સખીયા મર્શિડીઝ કારમાં આવીને પોલીસ કમિશનરની કચેરીના પાર્કિંગમાં PSI સુમરા સાખરાને RGS લખેલા બ્યુ કલરના બેગમાં રૂપિયા આપ્યા હોવાનું તેના આ નિવેદનમાં જણાવ્યું છે. જો આ પોલીસ કમિશનર કચેરીના પાર્કિંગના CCTVની તપાસ કરવામાં આવે તો હકીકત સામે આવી શકે છે.

જો કે, આ મામલે તપાસનીશ અધિકારી વિકાસ સહાય દ્વારા મંગળવારે 8 કલાક સુધી આ ફરિયાદી અને તેના સાક્ષીના નિવેદન નોંધવાની કાર્યવાહી કરવામાં આવી હતી. જેમના નિવેદન વિકાસ સહાય, એક SP, એક PI અને રાઇટરની હાજરીમાં નોંધવામાં આવ્યું હતું.