GujaratAhmedabad

અમદાવાદમાં નવજાત બાળકની 10 માં માળેથી ફેંકીને કરાઇ હત્યા, પોલીસે એક શંકાસ્પદ મહિલાની કરી ધરપકડ

અમદાવાદના ચાંદખેડામાં એક કરૂણ ઘટના ઘટી હતી. જેમાં નવજાત બાળકની નવમાં માળથી ફેંકી હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં પોલીસને મોટી સફળતા પ્રાપ્ત થઈ છે. પોલીસ દ્વારા આ મામલામાં એક મહિલાની અટકાયત કરવામાં આવી છે. આ મહિલા દ્વારા બાળકને જન્મ આપીને બાથરૂમમાંથી નીચે ફેંકી દેવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે

પ્રાપ્ત માહિતી મુજબ, આ મહિલા આ એપાર્ટમેન્ટના નવમાં માળ પર જ રહે છે. માતા-પિતા સાથે એક દિવસ અગાઉ જ તે બહારથી આવી હતી અને મોડી રાત્રીના દુખાવો થતા તેની બાથરૂમમાં ડિલિવરી થઈ ગઈ હતી. મહિલા દ્વારા પોલીસને ગર્ભવતી હોવાથી અજાણ હોવાની વાત કરવામાં આવી હતી. મહિલાને હાલમાં સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઇ જવામાં આવી છે.

નોંધનીય છે કે, અમદાવાદના ચાંદખેડા વિસ્તારમાં નવજાત બાળકની દસમાં મા માળેથી ફેંકી ને ગઈ કાલના હત્યા કરવામાં આવી હતી. ચાંદખેડા વિસ્તારમાં આવેલા સ્કાય વોક એપાર્ટમેન્ટમાં આ ઘટના ઘટી હતી. જ્યારે ઘટનાની જાણ થતા જ પોલીસ ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી અને આ મામલામાં તપાસ હાથ ધરી હતી. એવામાં આજે પોલીસને આ મામલામાં મોટી જાણકારી પ્રાપ્ત થઈ ગઈ છે.

આ પણ વાંચો: પ્રખ્યાત ખાનગી સ્કૂલના આચાર્યે સગીર વિદ્યાર્થીની પર આચર્યું દુષ્કર્મ, જાણો શું છે સમગ્ર મામલો?

આ પણ વાંચો: ખુશખબર: અખાત્રીજ પહેલા સોનાના ભાવમાં નોંધાયો ઘટાડો

આ પણ વાંચો: અતિક અને અશરફની હત્યા કેસમાં આવ્યો નવો વળાંક, નજીકના વ્યક્તિએ જ…..