AAPDelhiIndiaPolitics

અરવિંદ કેજરીવાલ ચાલુ ભાષણે રડી પડ્યા, જાણો કોને યાદ કર્યા

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ એક કાર્યક્રમ દરમિયાન મનીષ સિસોદિયાને યાદ કરીને ભાવુક થઈ ગયા. સિસોદિયાને યાદ કરીને તેઓ કાર્યક્રમની વચ્ચે જ રડી પડ્યા હતા. અરવિંદ કેજરીવાલ દિલ્હીના દરિયાપુરમાં સ્કૂલ ઓફ સ્પેશિયલાઇઝ્ડ એક્સેલન્સ શરૂ કરવા આવ્યા હતા. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ પોતાના સંબોધન દરમિયાન મનીષ સિઓડિયાને યાદ કરીને ભાવુક થઈ ગયા અને રડવા લાગ્યા.

અરવિંદ કેજરીવાલે પોતાના સંબોધનમાં દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટીની સરકારે દિલ્હીની શિક્ષણ વ્યવસ્થાને સુધારવામાં કોઈ કસર છોડી નથી. કેજરીવાલે કહ્યું કે તેમનું પ્રારંભિક શિક્ષણ હિસારમાં થયું છે અને લોકો જે પ્રકારની શાળામાં ભણ્યા છે તેનાથી વધુ સારી શાળાઓ દિલ્હીમાં મળી રહી છે. કેજરીવાલે કહ્યું કે અમારા બાળકોને સારું શિક્ષણ આપવું એ અમારી પેઢીની જવાબદારી છે.

તેમણે દિલ્હીની અંદર શિક્ષણને સુધારવામાં મનીષ સિસોદિયાના યોગદાનને યાદ કર્યું અને ભાવુક થઈ ગયા. આ દરમિયાન કેજરીવાલની આંખો આંસુઓથી ભરાઈ ગઈ હતી. કેજરીવાલે આરોપ લગાવ્યો કે કેટલાક લોકો નથી ઈચ્છતા કે દિલ્હીની શિક્ષણ પ્રણાલીમાં સુધારો થાય, તેથી મનીષ સિસોદિયાને ફસાવવામાં આવ્યા અને તેમને જેલમાં મોકલવામાં આવ્યા.