health

બધા કામ પડતા મૂકી આ માહિતી આજે જ જાણી લો, શરદી,ઉધરસ,કફ મટાડવા ખૂબ જ કામની…

નમસ્કાર મિત્રો,સામાન્ય રીતે આપણે જોઈએ તો વાતાવરણ બદલાતા લોકોને શરદી,ઉધરસ,કફ થાય છે આવી તકલીફ મોટા ભાગના લોકોને થાય જ છે,આવી બીમારીઓથી કાયમ માટે છુટકારો મેળવવા કરો આ ઉપાય.સૌથી પહેલા તમારે ફોટામાં બતાવ્યા અનુસાર બે હાથ પરસ્પર જોડી લિંગ મુદ્રા કરવાની છે.લિંગ મુદ્રા કરવાથી આપણા શરીરમાં રહેલો જૂનમાં જૂનો કફ નીકળી જાય છે.

બીજું કે જે લોકોને પિત્તની તકલીફ હોય તેમણે શિયાળામાં ફક્ત ૫ મિનિટ આ લિંગ મુદ્રા કરવાની છે,સામાન્ય રીતે આ લિંગ મુદ્રા કરતી વખતે બંને ભાગ પર ધીમેથી દબાવો.જે લોકોને એસિડિટીની તકલીફ હોય તેઓએ ઉનાળામાં આ મુદ્રા ક્યારેય ન કરવી.એસિડિટીની બીમારીવાળા લોકોએ આ મુદ્રા શિયાળામાં ૨-૩ મિનિટ જ કરવી.

જો તેઓ આ લિંગ મુદ્રા વધારે કરે તો તેમણે એસિડિટી અને પિત્તની તકલીફ વધી શકે છે.તમને મનમાં એમ થતું હશે કે આવું હોતું હશે ! હા મિત્રો આ લિંગ મુદ્રા કરવાથી સૌથી મોટો ફાયદો એ છે કે શરીરમાં વજનમાં નિયંત્રણ આવે,એટ્લે કે શરીરમાં ચરબી વધી રહી છે તો વજનમાં નિયંત્રણ આવે છે.

તમે આ લિંગ મુદ્રા દિવસ દરમિયાન ફક્ત ૫ મિનિટ કરશો તો પણ શરીરમાં ઘણા ફાયદા થઈ શકે છે,આવું કરવાથી શરદી,ઉધરસ,કફ આવી તમામ બીમારીઓમાંથી છુટકારો મળે છે.અમે આ માહિતી ઇન્ટરનેટના માધ્યમથી તમારી જોડે શેર કરી છે,આ અંગે અમે કોઈ પુષ્ટિ કરતા નથી.અમારી આ માહિતી પસંદ આવી હોય તો બીજા મિત્રોને પણ જરૂર શેર કરો.