VadodaraGujarat

મોડાસામાં ભડકાઉ ભાષણ કેસમાં મૌલાના સલમાન અઝહરીના જામીન મંજૂર, પરંતુ આ શરતોનું કરવું પડશે પાલન….

ભડકાઉ ભાષણ મામલામાં મૌલાના સલમાન અઝહરીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. કેમકે તેમના શરતી જામીન મંજુર કરવામાં આવ્યા હોવાની જાણકારી સામે આવી છે. મોડાસા ડિસ્ટ્રીક્ટ સેશન કોર્ટ દ્વારા આરોપી મૌલાનાના શરતી જામીન મંજુર કરવામાં આવ્યા છે. મોલાનાને જે શરતો પર જામીન મળ્યા છે તેમાં પાસપોર્ટ જમા કરાવવો તેમજ હાજરી આપવા સહિતની શરતો મુકવામાં આવેલ છે. કોર્ટમાં ચાલેલી હિયરિંગમાં નામદાર કોર્ટ દ્વારા આ શરતી જામીન આપવામાં આવ્યા હતા. આ અગાઉ પાંચ દિવસ પહેલા મૌલાનાના રિમાન્ડ પૂર્ણ થતાં મૌલાનાને જેલમાં મોકલવાનો કોર્ટ દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો.

તમને જણાવી દઈએ કે, મોડાસા ટાઉન પોલીસમાં નોધાયેલા ભડકાઉ ભાષણ અને એટ્રોસિટી ગુન્હા બાબતમાં મોડાસા પોલીસ દ્વારા મૌલાના મુફ્તી સલમાન અઝહરીના 10 દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા બેન્કમાં ફંડિંગ સહીત અન્ય 10 મુદ્દાઓની તપાસની માંગ સાથે 10 દિવસના રિમાન્ડની માંગ કરવામાં આવી હતી. તેમ છતાં કોર્ટ દ્વારા 5 દિવસના રિમાન્ડ મંજુર કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મોડાસા સેશન્સ કોર્ટે આરોપી મૌલાનાને રિમાન્ડ પૂર્ણ થતાં જ્યૂડિશિયલ કસ્ટડીમાં મોકલવાનો હૂકમ ફરમાવવામાં આવ્યો હતો.

મૌલાનાની વાત કરીએ તો વર્ષ 2008 થી 2011 સુધી ઇજિપ્તમાં ઇસ્લામનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં મોડાસા, કચ્છ બાદ જૂનાગઢમાં કરવામાં આવ્યો હતો. 14 મી ફેબ્રુઆરી ના રોજ મૌલાના મોરબીમાં એક કાર્યક્રમ હાજરી આપવામાં આવી હતી. એવામાં જૂનાગઢમાં નરસિંહ શાળાના મેદાનમાં યોજાયેલ એક જાહેરસભાના કાર્યક્રમમાં મૌલાના દ્વારા જૂનાગઢ પાકિસ્તાનમાં સામેલ ન થયું હોવાનું આડકતરી રીતે ભાષણ કરવામાં આવ્યું હતું. તેની સાથે આ મૌલાના કેટલીક ગતિવિધિ શંકાસ્પદ હોવાના લીધે તેમના મોબાઈલ ની તપાસ શરૂ કરાઈ છે. મૌલાના અગાઉ પાકિસ્તાન ગયો હતો કે નહિ તે દિશામાં તપાસ શરૂ કરાઈ છે. આ મૌલાના મૂળ કર્ણાટકનો છે અને મુંબઈમાં અમૃત સોસાયટી કો. ઓપરેટિવ સોસાયટીમાં પરિવાર સાથે વસવાટ કરે છે. આ સિવાય મૌલાના અલ અમાન એજ્યુકેશન વેલ્ફેર ટ્રસ્ટ ના બેંક ખાતામાં 9 લાખ રૂપિયા હોવાની જાણકારી સામે આવી છે. આ મૌલાના ના ટ્રસ્ટ અને પરિવારના બેંક એકાઉન્ટની તપાસ શરૂ કરાઈ છે. ટ્રસ્ટના પૈસાનો ઉપયોગ શું થતો હતો તેને લઇ તપાસ હાથ ધરવામાં આવી છે.