Gujarat

બનાસકાંઠાના ખેડૂતો પાણી માટે ધરણાં પર બેઠા

બનાસકાંઠા જિલ્લાના લાખણી,દિયોદર તેમજ થરાદ પંથકમાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવાની માંગને લઈને 5 તાલુકાનાં ખેડૂતો ઢોલ સાથે મોટી સંખ્યામાં લાખણી ખાતેની મામલતદાર કચેરીએ ધરણા કરવા પહોંચ્યા છે. ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જ્યા સુધી સુજલામ સુફલામ કેનાલમાં પાણી છોડવામાં આવશે નહિ ત્યા સુધી અમે આ ધરણા અહીં ચાલુ રાખીશું. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારતા કહ્યું કે, જો તેમને આ મુદ્દે ન્યાય ના મળ્યો તો તેઓ તેમના ગામમાં એકપણ નેતાઓને આવવા દેશે નહિ.

રાજ્યનો છેવાડે આવેલ બનાસકાંઠા જિલ્લામાં હંમેશા પાણીની અછત રહેલી હોય છે. જિલ્લાનો ખુબ મોટો વર્ગ ખેતી તેમજ પશુપાલનના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માટે અનેકવાર આ જિલ્લામાં પાણીની સમસ્યા ઉભી થતી હોય છે.ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠા જિલ્લાના થરાદ,દિયોદર તેમજ લાખણ પંથકમાંથી નીકળતી સુજલામ સુફલામ કેનાલમાં પાણી પહોંચાડવાના અને કાંકરેંજના ચાંગા પંપિંગ સ્ટેશનના બધાજ 6 પંપિંગ સ્ટેશન શરૂ કરવાના અનેક વખત વાયદાઓ આપવામાં આવ્યા છે.

જો કે, આ મુદ્દે કોઈ પરિણામ આજ સુધી ન આવતા ડીસા, લાખણી,થરાદ, દિયોદર, થરાદ તેમજ કાંકરેજ પંથકના ખેડૂતો દ્વારા પંપિંગ સ્ટેશન શરૂ કરવા માટે તેમજ કેનાલમાં પાણી છોડવાની માંગણીને લઈને ઢોલ વગાડતા વગાડતા લાખણી મામલતદાર કચેરીએ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું. અને આ મુદ્દે આવી પહોંચ્યા હતા. તેમના મામલતદાર કચેરીએ જ આ ધરણા કરવા બેઠા છે.

ખેડૂતોના જણાવ્યા અનુસાર, પાકની સિઝન ચાલુ થઈ ગઈ હોવા છતાં સુજલામ સુફલામ કેનાલમાં પાણી નથી અને બીજી બાજુ બિયારણ અને ખાતર પણ ખૂબ મોંઘા લાવ્યા છીએ. પરંતુ પાણી વિના અમારા પાક મુરઝાઇ રહ્યા છે. માટે જો તાત્કાલિક અસરથી આ કેનાલમાં જ્યાં સુધી પાણી નહિ છોડવામાં નહીં આવે ત્યાં સુધી આ ધરણાં ચાલુ રાખશે. અને માંગ નહીં સંતોષાય ત્યાં સુધી તેઓ અહીંયા જ બેસી રહેશે. અને તેઓ તેમના ગામમાં એકપણ નેતાઓને તેમના ગામમાં પણ ઘુસવા દેશે નહિ.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે