South GujaratGujaratSurat

સુરતમાં મહિલા કોન્સ્ટેબલ આપઘાત કેસમાં મોટા સમાચાર, કોન્સ્ટેબલ પ્રેમી સામે દુષ્પ્રેરણા અને દુષ્કર્મની ફરિયાદ નોંધાઈ

સુરતના સિંગણપુર પોલીસ મથકના મહિલા કોન્સ્ટેબલ હર્ષના ચૌધરી દ્વારા થોડા દિવસો પહેલા ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હતો. આ મામલામાં પોલીસ તપાસમાં મોટી જાણકારી સામે આવી હતી. મૃતક પોલીસ કોન્સ્ટેબલ હર્ષના ચૌધરીને સુરત શહેર પોલીસ ના જ અન્ય એક પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોઈ સાથે પ્રેમ સંબંધ રહેલો હતો. એવામાં પ્રેમ સંબંધમાં માઠું લાગતા મહિલા પોલીસ કોન્સ્ટેબલ હર્ષના ચૌધરી દ્વારા આપઘાત કરી લેવાનું હોવાનું સામે આવ્યું હતું. એવામાં હવે આ મામલામાં વધુ તપાસ બાદ પોલીસ દ્વારા કોન્સ્ટેબલ સામે દુષ્કર્મનો ગુનો દાખલ કર્યો હે.

તમને જણાવી દઈએ કે, સિંગણપોર મહિલા કોન્સ્ટેબલ આપઘાત માં પી આઈ દ્વારા તપાસ કરાઈ રહી છે. જેમાં પોલીસ દ્વારા સુસાઈડ નોટ સહિત તમામ લોકો ની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. જેમાં સિંગણપોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી આવી છે. પોલીસ કોન્સ્ટેબલ પ્રશાંત ભોંય વિરુદ્ધ ફરિયાદ દાખલ આવી છે. આ ફરિયાદમાં દુષ્કર્મની ફરિયાદ દાખલ કરવામાં આવી છે. પ્રશાંત અને હર્ષનાબેન છેલ્લા ઘણા સમયથી પ્રેમસંબંધમાં રહેલા હતા. આ વાત લગ્ન સુધી પણ પહોંચી ગઈ હતી.

આ બાબતમાં વધુ જણાવીએ કે, મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરી મૂળ સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના વડગામના વતની હતા. જ્યારે તે હાલમાં સિંગણપોરના મહેશ્વરી પેલેસમાં રહી રહ્યા હતા. મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ફરજ નિભાવ્યા બાદ બીજા દિવસે પોલીસ સ્ટેશન પર હાજર થયા નહોતા. તેના લીધે પોલીસ સ્ટેશનથી સવારથી જ ફોનથી હર્ષના બેનનો સંપર્ક કરવામાં આવી રહ્યો હતો. પરંતુ તેમના દ્વારા મોડી સાંજ સુધી કોઈ ઉત્તર આપવામાં આવ્યો નહોતો

આ કારણોસર સિંગણપોર પોલીસની અન્ય મહિલા પોલીસ કર્મચારીઓ તેમના ઘરે પહોંચ્યા હતા. ઘરે પહોંચતા દરવાજો અંદરથી બંધ હતો ત્યાર બાદ દરવાજો ખખડાવ્યો તો અંદર કોઈ ઉત્તર પ્રાપ્ત થયો હતો. તેના લીધે દરવાજો તોડવામાં આવતા  મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરી ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળ્યા હતા. ઘટનાની જાણકારી મળતા પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળ પર દોડી આ મામલામાં તપાસ હાથ ધરી હતી.

તેની સાથે પોલીસ અધિકારીઓને ઘટના સ્થળ પરથી સિંગણપોરના મૃતક મહિલા કોન્સ્ટેબલ હર્ષનાબેન ચૌધરીનો મોબાઇલ અને એક સ્યુસાઇડ નોટ પ્રાપ્ત થઈ છે. આ સ્યુસાઇડ નોટમાં હર્ષના ચૌધરી દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, મમ્મી-પપ્પા અને બહેન ભાઇ મને માફ કરજો. હું જીંદગીથી કંટાળી ગયેલ છુ. જેના પર મેં વિશ્વાસ કર્યો હતો, તેણે જ મારો વિશ્વાસ તોડી નાખ્યો છે. તેના લીધે હવે કોઈના પર વિશ્વાસ કરવો નહીં. મને માફ કરજો અને તમારા બધાનું ધ્યાન રાખજો.