Gujarat

વિધાતા ના લેખ: બે વર્ષના પુત્રના જન્મ દિવસે સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દર્શન કરવાને પરત ફરતા નડ્યો અકસ્માત, બન્નેના કરુણ મોત

બોટાદ જિલ્લામાં આજે ખૂબ જ દુઃખદ ઘટના બની છે. જેમાં પુત્રના જન્મ દિવસે પિતા અને પુત્ર બંને સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતા. જે આજે તેમનો પુત્ર બે વર્ષના થયો હતો અને દર્શન માટે તેઓ તેને સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દર્શન કરવા લઇ ગયા હતા પરંતુ કોને ખબર હતી કે તેમની સાથે આવો બનાવ બનશે. જો કે આ બંને પિતા પુત્ર દર્શન કરીને પાછા આવી રહ્યા હતા ત્યારે તેમને રસ્તામાં અકસ્માત નડ્યો હતો. જે સાળંગપુરથી પાછા આવ્યા બાદ રાત્રે ઘરે પુત્રનો જન્મ દિવસ ધામધૂમથી ઉજવવાનું નક્કી કર્યું હતું. ત્યારે આ અકસ્માતમાં બંનેએ જીવ ગુમાવતા પરિવારજનોને મોટો આધાત લાગ્યો છે.

આ ભોગ બનનાર પરિવાર બોટાદ શહેરમાં તુરખા રોડ નજીકના વિસ્તારમાં રહેતો હતો. આ પરિવાર મૂળ અમદાવાદ જિલ્લાના વાસણા ગામનો હોવાનું સામે આવ્યું છે. જો કે આ બંને પિતા અને પુત્ર દર્શન કરીને પરત ફરી રહ્યા હાય ત્યારે તેમનું બાઈક વીજપોલ સાથે અથડાયું હતું. જો કે આ ટક્કર એટલી જબરદસ્ત ઝડપી હતી કે વીજપોલ પણ તૂટી ગયો હતો. જે સાંજના સમયે બાઈક ઉપરથી કાબૂ ગુમાવતા સીધા આ વીજપોલ સાથે અથડાયા હતા. જો કે આ ટક્કર એટલી જોરદાર હતી કે બંનેનું ઘટનાસ્થળે જ મૃત્યુ થઇ ગયું હતું.

અકસ્માતમાં મોત થયેલ પિતાનું નામ મહેન્દ્રભાઈ ઉર્ફે મહેશભાઈ અરજણભાઈ ખાંદળાહોવાનું સામે આવ્યું છે જેમની ઉંમર 35 વર્ષ હોવાનું જણાવ્યું છે. અને તેમના બે વર્ષના પુત્રનું નામ વેદાંત હોવાનું જણાવ્યું છે, જેઓ તેમનું GJ-04 AB 9591 નંબર પેલ્ટ વાળું બાઇક લઈને સાળંગપુર કષ્ટભજન હનુમાનજી મંદિરે દર્શન કરવા ગયા હતા. ત્યારે આ ઘટના બની હતી.

ત્યારે આ ઘટનાની જાણ થતા સમગ્ર પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.આ બનાવ દરમિયાન ત્યાં ઘટના સ્થળે હાજર લોકોએ આ અંગે પ[પોલીસને જાણ કરતા બરવાળા પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. ત્યારબાદ પોલીસે આ બંનેની લાશને પી.એમ અર્થે સોનાવાલા હોસ્પિટલ ખાતે મોકલી આપી હતી.

મુકેશ અંબાણીની નાની વહુ, લક્ઝરી વસ્તુઓની શોખીન, છે આટલી સંપત્તિ નામચીન યુટ્યુબર Elvish Yadav ફરાર: નોઇડામાં રેવ પાર્ટીઓ કરાવતો ડેરી ફાર્મમાં લાગી આગ, 18,000 ગાયોના કરૂણ મોત આ અધિકારી 10માં ધોરણમાં નાપાસ થયા હતા, UPSC પાસ કરી હાલમાં ગુજરાતમાં એડિશનલ કમિશનર છે