બારાબંકીમાં ભયંકર અકસ્માત : બસ ખીણમાં પડતા ત્રણના મોત, 24 ઈજાગ્રસ્ત
ઉત્તર પ્રદેશથી ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જાણકારી મુજબ, ઉત્તર પ્રદેશ ના બારાબંકી માં એક બસમાં ખીણમાં પડી ગઈ હોવાનું સામે આવ્યું છે. જેના લીધે ભયંકર અકસ્માત સર્જાયો હતો. જેમાં જાણવા મળ્યું છે કે, ઉત્તર પ્રદેશની ટ્રાન્સપોર્ટ કોર્પોરેશન ની બસ ઘાઘરા નદીની ખીણમાં ખાબકી ગઇ હતી.. જેના લીધે 35 થી 40 મુસાફરોથી ભરેલી બસ ખીણમાં ખાબકી જતા બધા મુસાફરો તેમાં દબાઈ ગયા હતા. જેના લીધે ભયંકર અકસ્માત સર્જાયો હતો.
તેની સાથે બસ ખીણમાં પડતા જ આજુબાજુમાં રહેનાર લોકો ત્યાં દોડી આવ્યા હતા. તેની સાથે પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે દોડી આવી હતી. પોલીસ દ્વારા ૨૪ લોકોને બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. તેમ છતાં આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે. પ્રાપ્ત માહિતી મુજબ, બસ ઝડપથી જઈ રહી હતી અને તેણે અન્ય વાહનનો ઓવરટેક કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ બસ ખીણ ખાબકી ખાઈ ગઈ હતી.
જ્યારે ઉત્તરપ્રદેશના કૈસરબાગ ડેપોની બસ છે, જે ગોંડાથી લખનૌ તરફ જઈ રહી હતી અને આ અકસ્માત બારાબંકીના રામનગર પોલીસ સ્ટેશન વિસ્તારના ચોક ઘાટ ક્રોસિંગ નજીક થયો હતો. જેના પોલીસ ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી બચાવ કામગીરી શરુ કરી દીધી હતી. તેની સાથે પોલીસની મદદે સ્થાનિક લોકો પણ આવી ગયા હતા.
જ્યારે આ અકસ્માતમાં જાણવા મળ્યું છે કે, ડ્રાઈવર દ્વારા બીજા બસની ઓવરટેક કરવાના પ્રયાસમાં બસ ખીણમાં ખાબકી ગઈ અને મુસાફરો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા. જેમાં બે લોકોના મોત થયા છે. જ્યારે અનેક મુસાફરો ઈજાગ્રસ્ત પણ થયેલા છે.