IndiaNews

જમ્મુ કાશ્મીર: અમૃતસરથી કટરા જઈ રહેલી બસ ખીણમાં પડી, 7 લોકોના મોત, ઘણા ગંભીર રીતે ઘાયલ

અમૃતસરથી કટરા જઈ રહેલી બસને અકસ્માત નડ્યો હતો. આ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે અને ઘણા લોકો ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર આ અકસ્માત જમ્મુથી લગભગ 30 કિલોમીટર દૂર જમ્મુ શ્રીનગર નેશનલ હાઈવેના જજ્જર કોટલી વિસ્તારમાં થયો હતો. બસમાં વૈષ્ણોદેવીના મુસાફરો પણ હાજર હતા. આ અકસ્માત સવારે થયો હતો, ત્યારબાદ આસપાસના વિસ્તારના લોકો અને પોલીસકર્મીઓએ સંયુક્ત રીતે બચાવ કામગીરી હાથ ધરી હતી.

આ ઘટના પર જમ્મુ ડીસીનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે પહેલા 10 લોકોના મોતની પુષ્ટિ કરી હતી પરંતુ બાદમાં મૃતકોની સંખ્યા અંગે નવી અપડેટ આપતા કહ્યું કે આ ઘટનામાં 7 લોકોના મોત થયા છે, 4 ગંભીર રીતે ઘાયલ છે અને તેમને સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યા છે. અન્ય 12 ઘાયલોને સ્થાનિક પીએચસીમાં સારવાર આપવામાં આવી રહી છે.

રેસ્ક્યુ ઓપરેશનમાં રોકાયેલા સીઆરપીએફ ઓફિસર અશોક ચૌધરીએ કહ્યું, ‘સવારે અમને અકસ્માતની માહિતી મળતા જ અમારી ટીમ તરત જ અહીં પહોંચી ગઈ અને રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કર્યું. મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા. ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. પોલીસની ટીમ પણ અમારી સાથે રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે. રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે. જણાવવામાં આવી રહ્યું છે કે બસમાં બિહારના લોકો હતા જે કટરા જઈ રહ્યા હતા.