Saurashtra

જામનગરમાં કાર-બાઈક વચ્ચે અકસ્માતમાં 4 યુવાનો ના ઘટનાસ્થળે મોત, તસવીરો જોઈને ધ્રુજી જશો

જામનગર નજીક નવાગામ પાસે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. બાઇક અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાતા ચાર યુવાનોના ઘટનાસ્થળે મોત નીપજ્યા હતા. અકસ્માતની જાણ થતા પોલીસ અને 108ની ટીમ દોડી ગઇ હતી. ચારેયના મૃતદેહને પીએમ માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

ટક્કર એટલી જોરદાર હતી કે કારનો કચ્ચરઘાણ નીકળી ગયો હતો. મૃતકોમાં કુલદીપ, વિશ્વરાજસિંહ પ્રદીપસિંહ ઝાલા સુખદેવસિંહ અનોપસિંહ જાડેજા સહિતના 20થી 22 વર્ષના યુવાનો નો સમાવેશ થાય છે.

મૃતક ચારેય યુવાનો નવાગામના રહેવાસી હતા તેવી માહિતી મળી રહી છે.કાર બાઈક ના અકસ્માતમાં આટલી જોરદાર ટક્કર કઈ રીતે થઇ તે અંગે પોલીસ હાલ તપાસ કરી રહી છે.આશાસ્પદ યુવાનો છીનવાઈ જતા હાલ પ્રાઇવરજનો શોકમાં ગરકાવ થઇ ગયા છે.