AhmedabadGujarat

બિપોરજોય વાવાઝોડાના ખતરાને જોતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જાહેર જનતાને કરી આ અપીલ

અરબી સમુદ્રમાં ઉદ્દભવેલ બિપરજોય ચક્રવાત ઝડપથી ગુજરાત તરફ આવતું જોવા મળી રહ્યું છે. તેને લઈને સતત જાણકારી સામે આવી રહી છે. એવામાં બિપોરજોય વાવાઝોડાના કહેરને જોતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું છે કે, રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યનાં દરિયાકાંઠા વિસ્તારોમાં બિપોરજોય વાવાઝોડાની સંભવિત આપદાને પગલે નાગરિકોને સુરક્ષા-સલામતી માટે વહીવટી તંત્રને સહયોગ આપવા માટે અપીલ કરવામાં આવી છે. મુખ્યમંત્રી દ્વારા બિપોરજોય વવઝોડાની આ સંભવિત આપત્તીને પહોંચી વળવા માટે રાજ્ય સરકાર દ્વારા પીએમ નરેન્દ્રભાઇ મોદી અને ગૃહ મંત્રી અમિત શાહના માર્ગદર્શન હેઠળ અગાઉથી આયોજન કરી લેવામાં આવ્યું છે.

ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના નાગરીકોને કરેલ અપિલમાં જણાવવામાં આવ્યું છે કે, ઝિરો કેઝ્યુઆલિટીના એપ્રોચ સાથે રાજ્ય સરકાર દ્વારા આગોતરા બચાવ-રાહત અને પૂન:વ્યવસ્થાપનના આયોજન સુનિશ્ચિત કરી લેવાયુ છે. મુખ્યમંત્રી દ્વારા તેની સાથે નાગરિકોને રાજ્ય સરકાર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સમયાંતરે આપવામાં આવતી સૂચનાઓ-નિર્દેશીકાનું પાલન કરવાની અપીલ કરવામાં આવી છે.

વધુમાં તેમણે લોકોને જણાવ્યું છે કે, ભારે વરસાદ અને તિવ્ર પવનની આગાહીના લીધે બને ત્યાં સુધી ઘરમાં જ સલામત રહો અને બહાર નિકળવાનું ટાળજો. જ્યારે વૃક્ષ નીચે, થાંભલાઓ પાસે કે જુના જર્જરીત મકાનોમાં આશ્રય લેતા નહીં. વીજળીના તાર કે વીજ ઉપકરણોને અડતા નહીં અને વીજ થાંભલાથી દૂર જ રહેજો.